1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન 14મી ફેબ્રુઆરીથી દોડતી થશે

મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન 14મી ફેબ્રુઆરીથી દોડતી થશે

0
Social Share

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ ઘટતા હવે દેશમાં જનજીવન પાટે ચડી રહ્યું છે. દેશનું હાર્ટ ગણાતા રેલ વ્યવહાર પણ હવે ધીમે-ધીમે શરૂ થઈ રહ્યો છે. દરમિયાન તા. 14મી ફેબ્રુઆરીથી મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કોરોના મહામારીનું સંક્રમણ ઘટતા હવે રેલ વ્યવહાર હવે ધીરે-ધીરે રાબેતા મુજબ થઈ રહ્યો છે. દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસને 14 ફેબ્રુઆરી 2021 થી અઠવાડિયાના ચાર દિવસ ફરીથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસ રોગચાળાને લીધે મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે, 24 નવેમ્બર 2020 ના રોજ આ ટ્રેન આઈઆરસીટીસી દ્વારા સ્થગિત કરવામાં આવી હતી.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ 15:50 વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી ઉપડશે અને તે જ દિવસે બપોરે 22:05 વાગ્યે અમદાવાદ પહોંચશે. આવી જ રીતે અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી 06.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13:05 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ સેવાઓ શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે 14 ફેબ્રુઆરી 2021 થી ચાલશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code