Site icon Revoi.in

ભારતના રાષ્ટ્રપતિએ જનરલ અશોક રાજ સિગડેલને ભારતીય સેનાના જનરલનો માનદ રેન્ક એનાયત કર્યો

Social Share

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક વિશેષ વિધિ સમારોહમાં નેપાળી સેનાના વડા સુપ્રબલ જનસેવા જનરલ અશોક રાજ સિગડેલને તેમના પ્રશંસનીય લશ્કરી પરાક્રમ અને ભારત સાથે નેપાળના લાંબા અને મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવામાં તેમના અતુલનીય યોગદાન માટે ભારતીય સેનાના જનરલનો માનદ રેન્ક એનાયત કર્યો હતો.

નેપાળની સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) સુપ્રબલ જનસેવાશ્રી જનરલ અશોક રાજ સિગડેલ બુધવારથી ચાર દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને નેપાળ વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય સહયોગ વધારવાનો અને સંરક્ષણ સહયોગ માટે નવા માર્ગો શોધવાનો છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જનરલ સિગ્ડેલની મુલાકાત નેપાળ અને ભારત વચ્ચેના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.