Homeગુજરાતીભારતીય સેનાનો યુનિફોર્મ બદલાશે,ફ્લેગ રેન્કના અધિકારીઓ પહેરી શકશે એક સમાન યુનિફોર્મ

ભારતીય સેનાનો યુનિફોર્મ બદલાશે,ફ્લેગ રેન્કના અધિકારીઓ પહેરી શકશે એક સમાન યુનિફોર્મ

  • 75 વર્ષ પછી ભારતીય સેનાનો યુનિફોર્મ બદલાશે
  • ફ્લેગ રેન્કના ઓફિસરો પહેરશે એક જેવો જ યુનિફોર્મ

દિલ્હી : દેશની આઝાદીના 75 વર્ષ બાદ ભારતીય સેના પોતાનો યુનિફોર્મ બદલવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મૂળ કેડર અને નિયુક્તિ છતાં ફ્લેગ રેન્ક એટલે કે બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના વરિષ્ઠ અધિકારીઓ માટે એક સમાન યુનિફોર્મ કરવામાં આવશે. તે જ સમયે, કર્નલ અને તેનાથી નીચેના રેન્કના અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતા યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

સૂત્રોનું કહેવું છે કે ભારતીય સેનાએ મૂળ કેડર અને નિયુક્તિ છતાં ફ્લેગ રેન્કના વરિષ્ઠ  અધિકારીઓ માટે એક સમાન ગણવેશ અપનાવવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પૂર્ણ થયેલી આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ દરમિયાન વિગતવાર ચર્ચા વિચારણા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો અહેવાલોનું માનીએ તો, બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના વરિષ્ઠ અધિકારીઓના હેડગિયર, શોલ્ડર રેન્ક બેજ, ગોરગેટ પેચ, બેલ્ટ અને ફૂટવેર હવે પ્રમાણભૂત અને સામાન્ય હશે. તે જ સમયે, ફ્લેગ રેન્કના અધિકારીઓ કોઈ પણ ડોરી પહેરશે નહીં

આ તમામ ફેરફારો આ વર્ષે 1 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. જોકે, ભારતીય સેનામાં કર્નલ અને તેનાથી નીચેના રેન્કના અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતા યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય સેનામાં 16 રેન્ક છે. આ રેન્કને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.

 

સંબંધિત લેખો

Most Popular