
શિયાળામાં દેશી ચણાને પલાળી ને શેકીને ખાવામાં આવે તો થાઈ છે અનેક ફાયદાઓ
દાળ-કઠોર આરોગ્ય માટે ખૂબ જ ફાયદા કારક હોય છે, અનેક પ્રકારના વિટામિન્સ, પ્રોટિન, કેલરી, મળી આવતા હોય છે જે આપણા શરીરને ખાસ જરુરી હોય છે,જેમાં આપણે આજે વાત કરીશું , ચણા આમ તો બાફેલા, શેકેલા ખાઈ શકાય છે.પરંતુ બાફેલા ચણા ખૂબ જ ગુણ કરે છે, ચણાને લોહીનો સ્ત્રોત ગણવામાં આવે છે, જેના સેવનથી હિમોગ્લોબિન પુરતા પ્રમાણમાં મળી રહે છે.આ સાથે જ ચણાને રાત્રે પાણીમાં પલાળી ને સવારે ટાવીમાં શેકીને ખાવાના ગુણ બમણા થઈ જાઈ છે
આ ચણા જ્યારે ખાસી થતી હોય ત્યારે શેકેલા હળદર વાળા ચઆણનું સેવન કરવાથી કફ દૂર થાય છે.અને ખાસીમાં રાહત થાય છે. આ સાથે જ જ્યારે અવાજ બેસી ગયો હોય ત્યારે ચણા અને ગોળ ખાવાથી રાહત મળે છે.
ગોળ અને શેકેલા ચણાનું સેવન કરવાથી હિમોગ્લોબિનની માત્રા શરીરમાં સારી મળે છે.શેકેલા ચણા રાત્રે ખાઈને પાણી પીધા વગર સુધી જવાથી ખાસી અને કફમાં રાહત થાય છે.
આ સાથે જ ચણઆને એક રાત માટે પાણીમાં પલાળી તેને એક દિવસ કોટનના કપડામાં બાંધીને ફણગાવી લેવા. ફણગાવેલા ચણા ખૂબ જ ગુણકારી હોય છે, તેને સલાડ તરીકે ખાઈ શકાય છે, વેઈટ લોક કરવામાં ફણગાનવેલા ચણા ખૂબ મહત્વના છે.
આ સાથે જ ચણાનું સેવન કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો સંચાર થાય છે.ગોળ અને ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે. જેના સેવનથી માંસપેશીઓ મજબૂત હોય છે ચણા અને ગોળમાં જિંક હોય છે જેના કારણે ચેહરાની ચમક વધવામાં મદદ કરે છે.
ગોળ અને ચણાને એક સાથે સેવન ચેહરાની સુંદરતા વધારે છે.
ચણાનું સેવન કરવાથી મેટાબૉલિજ્મ વધે છે જેના કારણે જાડાપણ તેજીથી ઓછું હોય છે.દરરોજ શેકેલા ચણા ખાવાથી જૂના કુષ્ટ રોગ સમાપ્ત થઈ જાય છે.
દરરોજ સવારે શેકેલા ચણા ખાવાથી વજન ઓછું હોય છે અને જાડાપણ ઘટે છે. આ શરીરથી વધારે પડતી ચરબીને ઓગાળે છેચણમાં પોટેશિયમ હોય છે જેના કારણે આ હાર્ટને લગતી સમસ્યાથી છૂટકારો મળે છેચણામાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જેના કારણે તેને ખાવાથી પાચન તંત્ર સુધરે છે અને મજબૂત બને છે