1. Home
  2. ગુજરાતી
  3. દહીં-કેળા ખાવાથી થાય છે આરોગ્યને અઢળક ફાયદાઃ જાણો આ બે વસ્તુંનું કોમ્બિનેશન કઈ રીતે તમને રાખે છે તંદુરસ્ત
દહીં-કેળા ખાવાથી થાય છે આરોગ્યને અઢળક ફાયદાઃ જાણો આ બે વસ્તુંનું કોમ્બિનેશન કઈ રીતે તમને રાખે છે તંદુરસ્ત

દહીં-કેળા ખાવાથી થાય છે આરોગ્યને અઢળક ફાયદાઃ જાણો આ બે વસ્તુંનું કોમ્બિનેશન કઈ રીતે તમને રાખે છે તંદુરસ્ત

0
Social Share
  • દહી અને કેળા અનેક રોગોને કરે છે દૂર
  • તેમા રહેલા અનેત તત્વો શરીરને રક્ષણ પુરુ પાડે છે

આજકાલની ભાગદોળ વાળી લાઈફમાં આપણે આપણું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે, બદલતી ઋતુ સહીત રોજની ભાગદોળ અને ટેન્શન વાળી લાઈફમાં થોડો સમય આપણે આપણા આરોગ્યની જાળવણી માટે પણ ફાળવવો જોઈએ, આજકાલ લોકો જીમ,ડાયટ, કસરત વગેરે અપનાવીને પોતાની જાતને તંદુરસ્ત રાખતા થયા છે, પરંતુ જો તમે તમારા ખોરાક પર જ પુરતું ધ્યાન આપશો તો તમારે ક્યારેય કોઈ શારિરીક તકલીફનો સામનો કરવો પડશે નહી.

દૂધ અને કેળા ખાવાના ફાયદા તો આપણે ઘણી વાર સાંભળ્યા હશે, અને આ વસ્તુનું સેવન પણ કર્યુ જ હશે, પરંતુ શું તમે જાણો છો કે, દહીં અને કેળાંનું કોમ્બિનેશન પણ શરીરને ફાયદો કરે છે,કારણ કે આ બન્ને વસ્તુઓ પોષક તત્વો અને એન્ટી ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર છે,તેને ખાવાથી શરિરના અનેક રોગો દૂર થાય છે.અને આરોગ્ય તંદુરસ્ત બને છે,

અનેક જાણકારોના જણાવ્યા પ્રમાણે દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ, આયર્ન, સારા બેક્ટેરિયા, એન્ટી વાયરલ જેવા તત્વો ભરપુર માત્રામાં સમાયેલા હોય છે.તો બીજી તરફ ગુણોથી ભરપુર કેળામાં ફાઇબર, કેલ્શિયમ વગેરે તત્વો સમાયેલા હોય છે.આ બંનેનું એક સાથે સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે.એનર્જીનો આ મોટો સ્ત્રોત ગણાય છે,તેનું સેવન કરવાથી થાક, નબળાઇ પણ દૂર થાય છે.

આખા દિવસ દરમિયાન આપણે અનેક કાર્યમાં વ્યસ્ત રહેતા હોઈએ છીએ ત્યારે આખો દિવસ આપણો હેલ્ધી અને એનર્જીથી ભરપુર રહે તે માટે આ બન્ને વસ્તુનું સેવન કરવું જોઈએ, તમે આ બન્ને વસ્તુંને સવારના નાસ્તામાં ખાઈ શકો છો જેથી  આખો દિવસ  તમને એનર્જી મળી રહે.

દૂધમાં દંહી મિક્સ કરીને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. આ રીતે વધારે ખાવાની સમસ્યાથી છુટકારો મળે છે. આ રીતે તે વજન જાળવવામાં અને ઘટાડવામાં મદદ કરે છે. સ્થૂળતાથી પીડિત લોકોએ ખાસ કરીને તેને પોતાના દૈનિક આહારમાં સામેલ કરવો જોઈએ.

જાણકારોના જણાવ્યા પ્રમાણે આ બન્ને વસ્તુનું સેવન ચરબી બર્ન કરવામાં મદદરુપ સાબિત થાય છે. આ સાથે, તે શરીરમાં કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે. આ હૃદયને સ્વસ્થ રાખે છે.
જે લોકોને કબ્ઝની પ્રોબલેમ હોય તે લોકો માટે કેળા અને દંહીનું સેવન દવાનું કામ કરી જાય છે, આ પ્રકારની સમસ્યા ધરાવતા લોકોએ રોજ આહારમાં આ ખોરાક સંયોજનોનો સમાવેશ કરવો જ જોઇએ. તે પાચક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને પેટ સ્વસ્થ રહે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code