1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. આ વાસ્તુ ટિપ્સ બનાવશે ઘરમાં Positive Energy નો ફલો,દરેક સમસ્યા થશે દૂર
આ વાસ્તુ ટિપ્સ બનાવશે ઘરમાં Positive Energy નો ફલો,દરેક સમસ્યા થશે દૂર

આ વાસ્તુ ટિપ્સ બનાવશે ઘરમાં Positive Energy નો ફલો,દરેક સમસ્યા થશે દૂર

0
Social Share

મકાન બનાવતી વખતે વાસ્તુશાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. ઘરમાં રાખેલી દરેક વસ્તુમાં કેટલીક સકારાત્મક અને નકારાત્મક ઉર્જા હોય છે. માટે ઘરમાં રાખેલી દરેક વસ્તુને વાસ્તુના નિયમો અનુસાર ગોઠવવી ખૂબ જરૂરી છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ આવે છે. તો આવો જાણીએ કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ જેની મદદથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

ઘર માટે જરૂરી વાસ્તુ નિયમો

– ઘરમાં બનેલું પૂજા ઘર સૌથી પવિત્ર હોય છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં દેવી દેવતાઓનો વાસ હોય છે, તેથી આ દિશામાં પૂજા સ્થળ બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

– ઘરમાં ઝાડ અને છોડને નિયમિત રીતે પાણી આપવું જોઈએ. સુકા ઝાડ- છોડની જીવન પર નકારાત્મક અસર પડે છે.

– વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં પાર્કિંગ માટે ઉત્તર-પશ્ચિમ દિશાને સૌથી શુભ માનવામાં આવે છે.

– વાસ્તુશાસ્ત્ર મુજબ બેડરૂમમાં દરવાજા તરફ પગ રાખીને સૂવું નહીં.

– ઘર કે રૂમની સજાવટમાં કાંટાળા છોડનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.

– વાસ્તુ શાસ્ત્ર અનુસાર અગ્નિ સંબંધિત ઉપકરણોને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code