સાઈકલ પર ગુજરાતથી અયોધ્યા જઈ રહેલા 2 રામભક્તોને બોમ્બથી ઉડાવી દેવાની MPમાં મળી ધમકી, આરોપી અસગર ખાન એરેસ્ટ
સારંગપુર : ગુજરાતથી સાઈકલ પર અયોધ્યાની યાત્રાએ નીકળેલા બે યુવકો દેવ પટેલ અને નીલ પટેલને મધ્યપ્રદેશમાં મુસ્લિમ પિતા-પુત્રએ ધમકાવ્યા છે. આ બંને યુવકો મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના સારંગપુરની આસપાસ પહોંચ્યા હતા. ત્યારે ઘણાં લોકોએ બંનેની પૂછપરછ કર હતી. તેમણે આ લોકોને જણાવ્યું કે તેઓ અયોધ્યા જઈ રહ્યા છે. આ દરમિયાન અસગરખાન નામના આધેડે બંને ગુજરાતી યુવકોને ધમકાવતા કહ્યુ કે તેઓ અયોધ્યા પહોંચી નહીં શકે, કારણ કે તેમને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.
મીડિયા અહેવાલ મુજબ, આ બંને યુવકો સારંગપુરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. બોલાચાલી અને ધાકધમકી વચ્ચે એક યુવકે ધમકી આપનારા અસગર ખાનનો વીડિયો બનાવી લીધો હતો. અસગરની સાથે તેનો પુત્ર પણ બંને રામભક્તો સાથે ગાળાગાળી કરી રહ્યો હતો.
ધમકી મળ્યા બાદ બંને યુવકોએ આની ફરિયાદ ત્યાંથી થોડે દૂર તેમના સ્વાગત માટે ઉભેલા હિંદુ સંગઠનના કાર્યકર્તાઓને કરી હતી. તેના પછી મામલો પોલીસ સુધી પહોંચાડવામાં આવ્યો. આ મામલે સારંગપુર પોલીસે એફઆઈઆર નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી છે.
આ મામલો બુધવાર 17 જાન્યુઆરી, 2024નો છે. બંને યુવકોના નામ નીલ પટેલ અને દેવ પટેલ છે. તેઓ અયોધ્યામાં રામલલા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને જોવા માટે ગુજરાતથી સાઈકલ દ્વારા અયોધ્યાની તીર્થયાત્રાએ નીકળ્યા છે. તેમની સાથે બનેલી ઘટનાનો એક વીડિયો દેવ પટેલે બનાવ્યો છે. જેમાં અસગર ખાન બંને રામભક્તોને ધમકાવી રહ્યો છે.
યુવકોનો આરોપ છે કે અસગર જ વારંવાર પુછી રહ્યો હતો કે તે ક્યાં જઈ રહ્યા છે. તેમના જણાવ્યા બાદ અસગરે ધમકી આપી હતી કે જાઓ, તમને જણાવીએ છીએ. ત્યાં સુધી પહોંચી નહીં શકો. રામભક્તોને બોમ્બથી ઉડાવી દઈશું. આ ઘટનાને સ્થાનિક મીડિયાએ પણ કવર કરી છે.
આ ઘટના સમયે હિંદુ જાગરણ મંચના જિલ્લા સહ-સંયોજક મુકેશ દુબે હાઈવે પર બંને યુવકોના આવવાની રાહ જોઈ રહ્યા હતા. જેથી તેઓ માર્ગમાંથનારી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેમની મદદ કરી શકે. જ્યારે બંને યુવકોએ રસ્તામાં બનેલી ઘટના જણાવી, તો તમામ લોકો પોલીસ સ્ટેશન ગયા અને એફઆઈઆર નોંધાવી હતી. હાલ આરોપીઓને એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે.