ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ, પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
દિલ્હી – આજરોજ 15 મી ડિસેમ્બર દેશના લોખંડી પુરુષ ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. ત્યારે પીએમ મોદીએ શુક્રવારે દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.
પીએમ મોદી એ કહ્યું હતું કે તેમનું અનુકરણીય કાર્ય આપણને મજબૂત અને વધુ અખંડિત દેશના નિર્માણ તરફ માર્ગદર્શન આપે છે. તેમની નેતૃત્વ ક્ષમતા માટે સરદારના બિરુદથી સન્માનિત, પટેલને આધુનિક ભારતના શિલ્પકાર તરીકે ઓળખવામાં આવે છે.
https://twitter.com/narendramodi/status/1735499128124420482?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1735499128124420482%7Ctwgr%5E77163c8c9f2653e5ca75b42a9a6aeeb1b2b78321%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.punjabkesari.in%2Fnational%2Fnews%2Fprime-minister-modi-paid-tribute-to-sardar-patel-1915853
આ સાથે જ તેમણે ભારતીય સંઘમાં સેંકડો રજવાડાઓના વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “મહાન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો. અનુકરણીય કાર્ય આપણને એક મજબૂત, વધુ અખંડિત દેશના નિર્માણ તરફ માર્ગદર્શન આપે છે. અમે તેમના સમૃદ્ધ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તેમના કાર્યો અને જીવનમાંથી પ્રેરણા લઈએ છીએ.
ગુજરાતના ખેડા જિલ્લામાં એક ખેડૂત પરિવારમાં 31 ઓક્ટોબર 1875ના રોજ સરદાર પટેલનો જન્મ થયો હતો. જેઓ હંમેશા દેશની એકતાને સર્વોપરી માનતા હતા. ભારત રતન સન્માનિત સરદાર વલ્લભભાઈ પટેલનું 15 ડિસેમ્બર 1950ના રોજ 75 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું.
આ દિવસ દર વર્ષે ‘સરદાર પટેલ મેમોરિયલ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. તેમની રાજદ્વારી ક્ષમતાઓ માટે હંમેશા તેમને યાદ કરવામાં આવશે. દેશના પ્રથમ ગૃહમંત્રી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલે આઝાદી પછી દેશના નકશાને વર્તમાન આકાર આપવામાં અમૂલ્ય ફાળો આપ્યો હતો.


