આજે ‘વિશ્વ યોગ દિવસ’ – જાણો તેનો ઈતિહાસ, શા માટે તેની ઉજવણી કરવામાં આવે છે અને ક્યારથી તેની શરુઆત થઈ
- 21 જૂને વિશ્વ ભરમાં યોગ દિવસ મનાવાઈ છે
- 12 જૂન સૌથી લાંબો દિવસ છે
- વર્ષ 2011 ડિસેમ્બરમાં યૂએને યોગ દિવસ ઉજવવાની જાહેરાત કરી
- વર્ષ 2015ના રોજ પ્રથમ વિશ્વ યોગ દિવસ ઉજવાયો
- આ વખતે 8મો વિશ્વ યોગ દિવસ છે
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી યોગને મહત્વ આપવામાં આવ્યું છે,ત્યારે આજે 21 જૂને સમગ્ર વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે,દરેકના મનમાં સવાલ હશે કે યોગ દિવસ આજે જ શષા માટે ઉજવવામાં આવે છે અને તેના પાછળનું કારહણ શું છે તો ચાલો જાણીએ વિશ્વ યોગ દિવસનો ઈતિહાસ અને તેને લગતી કેટલીક વાતો.
શા માટે યોગ દિવસ ઉજવાય છે?
આજે વિશ્વ આ વર્ષે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષે આ દિવસે લોકો મોટી જગ્યાઓ પર ભેગા થાય છે અને સાથે યોગ કરે છે. યોગના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આપણે જાણીયે છે કે દરરોજ યોગ કરવાથી તમારા જીવન પર સકારાત્મક અસર પડે છે. યોગ તણાવ અને ચિંતાને દૂર કરવામાં પણ મદદ કરે છે. સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે યોગ સૌથી સરળ ઉપાય છે. આ સાથે તે અનેક રોગો અને બીમારીઓથી છુટકારો પણ મેળવી શકાય છે.
જાણો ક્યારથી ઉજવાય છે યોગ દિવસ?
આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્ત ેા દિવસની ઉજવણીની શરુાત કરવામાં આવી છે આ પહેલ વિશવભરમાં પીેમ મોદીની છે. 27 સપ્ટેમ્બર વર્ષ 2014ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં, તેમણે યોગનો ઉલ્લેખ કરતા સાથે મળીને યોગ કરવાની વાત કરી હતી.
11 ડીસેમ્બરે યોગ દિવસ ઉજવવાની યૂએન એ જાહેરાત કરી
આ વાત બાદ 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ યોગ દિવસની સત્તાવાર જાહેરાત કરી હતી જે મુજબ 21 જૂને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જો કે આ ઉજવણીની શકરુઆત તો વર્ષ 2015થી થી હતી.
વર્ષ 2015થી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણીની શરુઆત કરાઈ
વર્ષ 2015થી સમગ્ર વિશ્વમાં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કતી કરવામાં આવ્યું આ વર્ષે પહેલો વિશ્વ યોગ દિવસ મનાવાયો. દરેકને એક સાથે જોડવા માટે 21 જૂન નક્કી કરવામાં આવ્યું જેથી આદિવસે એક સાથે ભેગા મળીને લોકો મોટી સંખ્યામાં યોગ કરે.
શા માટે 21 જૂનને યોગ દિવસ માટે પસંદ કરાયો?
દરેકના મનમાં સવાલ તો હશે જ કે શા માટે 21 જૂનને જ વિશઅવ યોગ દિવસ તરીકે ગણવામાં આવ્યો તો તેના પછળનું મહત્વ કારણ કે 21 જૂનનો ખાસ દિવ,સ છે. કારણ કે આ દિવસ વિશ્વનો સૌથી લોંબો દિવસ ગણાય છે.આ સાથે જ પણ આ દિવસે સૂર્ય વહેલો ઉગે છે અને મોડો આથમે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યની તેજ સૌથી વધુ અસરકારક હોય છે, અને પ્રકૃતિની સકારાત્મક ઉર્જા સક્રિય રહે છે.જેથી આજના દિવસે વિશ્વભરમાં યોગ થાય અને મોટી સંખ્યામાં લસોકો ભેગા થીને યોગ કરે તે આ દિવસનો હેતું છે.