
આજે સર્વ પિતૃ અમાવસ્યા,જાણો તર્પણની સાચી રીત અને ખાસ ઉપાયો
દિલ્હી: ભાદરવા મહિનાની પૂર્ણિમાની તિથિથી શરૂ થતો શ્રાદ્ધ પક્ષ 14મી ઓક્ટોબરે એટલે કે આજે અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે સમાપ્ત થશે. હિંદુ ધર્મ અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન આ દિવસે પોતાના પિતૃ અને પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા માટે મુખ્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.સર્વ પિતૃ અમાવસ્યાનો દિવસ એવા પૂર્વજોનું શ્રાદ્ધ કરવા માટે ખાસ ઉપયોગી માનવામાં આવે છે જેમની મૃત્યુ તારીખ પરિવારના સભ્યોને યાદ નથી. આ દિવસે, તે પૂર્વજો માટે કેટલીક વિશેષ વિધિઓ કરવામાં આવે છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. તેથી તેને સર્વ પિતૃ અમાવસ્યા, પિતૃ વિસર્જન અથવા મહાલય વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે.
સર્વ પિતૃ અમાવસ્યા તિથિ
ઉદયતિથિ અનુસાર સર્વ પિતૃ અમાવસ્યા 14મી ઓક્ટોબરે એટલે કે આજે ઉજવવામાં આવશે. અમાવસ્યા તિથિ 13મી ઓક્ટોબરે એટલે કે ગત રાત્રે 9.50 કલાકે શરૂ થઈ છે અને અમાવસ્યા તિથિ 14મી ઓક્ટોબરે એટલે કે આજે રાત્રે 11.24 કલાકે સમાપ્ત થશે.
કુતુપ મુહૂર્ત – 14 ઓક્ટોબરે, સવારે 11:44 થી 12:30 સુધી
રોહીણ મુહૂર્ત – 14 ઓક્ટોબરે બપોરે 12:30 થી 1:16 સુધી
બપોરનો સમય – 14 ઓક્ટોબરે બપોરે 1:16 થી 03:35 સુધી
અમાવસ્યા પર આ રીતે પિતૃઓને આપો વિદાય
જે લોકો પિતૃપક્ષના 15 દિવસ સુધી તર્પણ, શ્રાદ્ધ વગેરે કરી શકતા નથી અથવા જેમને તેમના પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ નથી, શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે તે તમામ પિતૃઓ માટે આ અમાવસ્યા પર કરવામાં આવે છે. સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને શાંતિ આપવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
અમાવસ્યા શ્રાદ્ધ પર ભોજનમાં ખીર પુરી હોવી જરૂરી છે. ભોજન પીરસવાનો અને શ્રાદ્ધ કરવાનો સમય બપોરનો હોવો જોઈએ. બ્રાહ્મણને ભોજન કરાવતા પહેલા પંચબલી આપો અને હવન કરો. બ્રાહ્મણને આદરપૂર્વક ભોજન કરાવો, તેને તિલક લગાવો, તેને દક્ષિણા આપો અને તેને વિદાય આપો. બાદમાં ઘરના તમામ સભ્યોએ સાથે મળીને ભોજન કરવું અને પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી.
સર્વ પિતૃ અમાવાસ્યા પૂજનવિધિ
1. તર્પણ- પિતૃઓને દૂધ, તલ, કુશ, ફૂલ, સુગંધિત જળ અર્પણ કરો.
2. પિંડ દાન- ચોખા અથવા જવનું પિંડ દાન આપીને ભૂખ્યાને ભોજન આપો.
3. ગરીબોને કપડાં આપો.
4. જમ્યા પછી દક્ષિણા આપ્યા વિના અને ચરણ સ્પર્શ કર્યા વિના ફળ મળતું નથી.
5. તમારા પૂર્વજોના નામ પર કરો આ કામો – શિક્ષણ દાન, રક્તદાન, અન્નદાન, વૃક્ષારોપણ, તબીબી દાન વગેરે અવશ્ય કરવા.
આ દિવસે પીપળના વૃક્ષની પૂજા કરો
શાસ્ત્રો અનુસાર પીપળના વૃક્ષમાં તમામ દેવી-દેવતાઓ અને પૂર્વજોનો વાસ હોય છે. આ કારણથી પીપળના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે. સર્વપિત્રી અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા અને દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે અમાવસ્યા તિથિ પર પીપળના વૃક્ષની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આ તિથિએ પિતૃઓને પ્રસન્ન કરવા માટે તાંબાના વાસણમાં પાણી, કાળા તલ અને દૂધ મિક્સ કરીને પીપળના ઝાડને અર્પણ કરવામાં આવે છે.
સર્વ પિતૃ અમાવસ્યા ઉપાય
સર્વપિત્રી અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની સેવા અને પૂજા કરવાથી આપણા પૂર્વજો ખુશ રહે છે. આ દિવસે સ્ટીલના વાસણમાં દૂધ, પાણી, કાળા તલ, મધ અને જવ મિક્સ કરો. આ સાથે કોઈપણ સફેદ મીઠાઈ, એક નારિયેળ, કેટલાક સિક્કા અને એક પવિત્ર દોરો લઈને પીપળના ઝાડની નીચે જાઓ અને સૌપ્રથમ ઘડાની બધી સામગ્રી પીપળના ઝાડના મૂળમાં અર્પણ કરો. આ દરમિયાન ‘ઓમ સર્વ પિતૃ દેવતાભ્યો નમઃ’ મંત્રનો સતત જાપ કરતા રહો.