
આજે પૃથ્વી સૂર્યની સૌથી નજીક, વર્ષમાં એકવાર પેરિહેલિયનની સ્થિતિ સર્જાય છે
દિલ્હીઃ આજે 4 જાન્યુઆરી, 2022ના રોજ પૃથ્વી સૂર્યની આસપાસ લંબગોળ માર્ગમાં ફરતી વર્ષના સૌથી નજીકના બિંદુએ હશે. મંગળવારે બપોરે બંને વચ્ચેનું આ અંતર ઘટીને 14.71 કરોડ કિમી થયું હોવાનું જાણવા મળે છે. વર્ષમાં એકવાર પૃથ્વી સૂર્યની સૌથી નજીક આવે છે, ખગોળશાસ્ત્રમાં તેને પેરિહેલિયન કહે છે.
સામાન્ય રીતે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર 14.96 કરોડ કિલોમીટર ગણવામાં આવે છે. પૃથ્વીથી સૂર્યનું સરેરાશ અંતર ખગોળીય એકમ તરીકે ઓળખાય છે. પેરિહેલિયન અવસ્થામાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર લગભગ 147 મિલિયન કિલોમીટર હોય છે. જ્યારે એફેલિયન અવસ્થામાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર લગભગ 94.5 મિલિયન માઇલ (152 મિલિયન કિલોમીટર) છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સાયન્સ બ્રોડકાસ્ટર સારિકા ઘરુએ જણાવ્યું કે પૃથ્વી અને સૂર્ય એકબીજાથી દૂર હશે ત્યારે આ અંતર 15.21 કિમી હશે. આ ઘટનાને એફિલિઅન કહેવામાં આવે છે. આમાં રસપ્રદ વાત એ છે કે પૃથ્વી સૂર્યની નજીક હોવા છતાં પણ પૃથ્વી પર ઠંડકનો અહેસાસ થાય છે. ઋતુમાં ગરમી કે ઠંડી પૃથ્વીના પરિભ્રમણને કારણે તેની ધરી પર નમેલી હોય છે. ઝુકાવને કારણે અમુક સમયે પૃથ્વીના જે ભાગ પર સૂર્યના કિરણો સીધા પડતા હોય છે ત્યાં ગરમી હોય છે અને જ્યાં કિરણો ત્રાંસુ પડે છે ત્યાં ઠંડીનો અહેસાસ થાય છે. તેની સાથે હવાનું દબાણ, રણમાંથી આવતા પવનો વગેરે તાપમાનને અસર કરે છે.