1. Home
  2. ગુજરાતી
  3. અમરનાથ યાત્રા 2023:બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન
અમરનાથ યાત્રા 2023:બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

અમરનાથ યાત્રા 2023:બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

0
Social Share
  • 15 દિવસમાં બે લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત 
  • આ વખતે અમરનાથ યાત્રા 31 ઓગસ્ટ સુધી ચાલશે
  • જાણો અમરનાથ યાત્રા સંબંધિત દરેક અપડેટ વિશે 

જમ્મુ:દક્ષિણ કાશ્મીરના હિમાલય વિસ્તારમાં સ્થિત અમરનાથ ગુફા મંદિરમાં શનિવારે 21,000 થી વધુ લોકોએ પવિત્ર બરફના શિવલિંગ પર પૂજા કરી હતી. આ સાથે આ વાર્ષિક યાત્રાના પ્રથમ 15 દિવસમાં અત્યાર સુધીમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

એક સત્તાવાર પ્રવક્તાએ કહ્યું, ‘આજે 21,401 શ્રદ્ધાળુઓએ શ્રી અમરનાથજીના દર્શન કર્યા, આ સાથે આ વર્ષે યાત્રાના પ્રથમ 15 દિવસમાં બાબા બર્ફાનીના દર્શન કરનારા યાત્રિકોની સંખ્યા બે લાખને પાર કરી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 2,08,415 શ્રદ્ધાળુઓએ તીર્થયાત્રા કરી છે.

શનિવારે મુલાકાત લેનારાઓમાં 15,510 પુરૂષો, 5,034 મહિલાઓ, 617 બાળકો અને 240 સાધુઓનો સમાવેશ થાય છે. પ્રવક્તાએ કહ્યું, “તીર્થયાત્રીઓમાં યુક્રેનની એક મહિલા પણ હતી જેણે તીર્થયાત્રા વિશે તેના મંતવ્યો શેર કર્યા હતા અને વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.”

હિમાલય ક્ષેત્રમાં સ્થિત 3,888-મીટર-ઊંચી ગુફા મંદિરની 62-દિવસીય વાર્ષિક યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ યાત્રા માટે બે રૂટ છે. એક, અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબો નુનવાન-પહલગામ માર્ગ, જ્યારે બીજો ગાંદરબલ જિલ્લામાં ટૂંકો પરંતુ વધુ દૂરસ્થ બાલટાલ માર્ગ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code