1. Home
  2. ગુજરાતી
  3. રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસઃસુનાવણી 7 જાન્યુઆરી સુધી સ્થગિત
રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસઃસુનાવણી 7 જાન્યુઆરી સુધી સ્થગિત

રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસઃસુનાવણી 7 જાન્યુઆરી સુધી સ્થગિત

0
Social Share

મુંબઈ:મહારાષ્ટ્રના ભિવંડીની એક અદાલતે શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસની સુનાવણી 7 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે,કારણ કે તેઓ તેમની દેશવ્યાપી ‘ભારત જોડો યાત્રા’માં વ્યસ્ત છે.

ભિવંડી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આઈસી વાડીકરે રાહુલ ગાંધીને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી.કોંગ્રેસ નેતાના વકીલ નારાયણ અય્યરે કહ્યું કે, માનહાનિનો કેસ શનિવારે સુનાવણી માટે આવ્યો હતો.

તેને 7મી જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે, જ્યારે રાહુલ ગાંધીની હાજરીમાંથી કાયમી મુક્તિ અંગેની દલીલો સાંભળવામાં આવશે.ફરિયાદી રાહુલ કુંટે શહેરની બહાર હોવાથી કોર્ટમાં હાજર રહ્યા ન હતા.આ મામલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને મહાત્મા ગાંધીની હત્યા પરના ભાષણમાં રાહુલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓથી સંબંધિત છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code