
- ઉત્તર પ્રદેશની સરકાર નવા ઓક્સિજન પ્લાન્ટ બનાવશે
- આ કાર્યમાં ડીઆરડીઓનો સહયોગ લેવામાં આવશે
- ઓક્સિજનની સ્થિતિની સમીક્ષા કરવાનો સીએમ એ નિર્દેશ આપ્યો
- 36 કલાકના ઓક્સિજન બેકઅપ સુનિશ્ચિત કરવાના આદેશ
લખનૌ- ઓક્સિજનની વધતી સમસ્યાને જોતા ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં 10 નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ પ્લાન્ટ્સ ડીઆરડીઓના સહયોગથી બનાવવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દરેક હોસ્પિટલમાં 36 કલાકના ઓક્સિજન બેકઅપ સુનિશ્ચિત કરવા અંગેના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીની સૂચના બાદ પ્લાન્ટ સ્થાપના માટેની જગ્યા નક્કી કરવાની કવાયત શરૂ થઈ ચૂકી છે.
વિતેલા દિવસને શનિવારના રોજ વર્ચ્યુઅલ સમીક્ષામાં મુખ્યમંત્રીએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગને આદેશ આપ્યો કે કોઈ પણ જીવન બચાવવાની દવા અને આસોલેશનમાં રહેનારા દર્દીઓને તબીબી કીટની કમી ન હોવી જોઈએ. તેમણે તબીબી શિક્ષણ અને આરોગ્ય મંત્રીને નિયમિતપણે દવાઓ અને ઓક્સિજનની સ્થિતિની સમીક્ષા કરવા નિર્દેશ આપ્યો છે.
એફએસડીએ સુત્રોના કહેવા પ્રમાણે રાજ્ય અન્ય રાજ્યોમાંથી પણ ટ્રેન દ્વારા ઓક્સિજન સપ્લાય કરી શકે છે. સરકાર તેની વિચારણા કરી રહી છે. આ તૈયારીના ભાગ રૂપે, મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે 36 કલાકનો બેકઅપ રાખો અને દરરોજ તેનું મૂલ્યાંકન પણ કરો. મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે લોકોના જીવ બચાવવા દરેક સ્તરે તૈયારીઓ થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં કુલ 40 ઓક્સિજન પ્લાન્ટ ચાલી રહ્યા છે. કોરોના મહામારીની શરૂઆત પહેલાં, રાજ્યમાં 23 એકમો સ્થાપિત હતા, જે એક વર્ષમાં વધારીને 40 કરવામાં આવ્યા છેઆ પ્લાન્ટના માધ્યમથી દરરોજ 36 હજાર 600 ઓક્સિજન સિલિન્ડર ઉત્પન્ન કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે બદલાયેલી પરિસ્થિતિમાં ઓક્સિજન સિલિન્ડરોની માંગ દરરોજ 60 હાજર થી વધુ રહેતી હોય છે.જેને કારણે વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. ત્યારે આ પ્લાન્ટ સ્થાપિત થતા ઓક્સિજનની અછત સર્જાશે નહી.
સાહિન-