1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો, પણ પાર્કિંગના અભાવે નવી ફ્લાઈટ્સ શરૂ થઈ શકતી નથી
રાજકોટ એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો, પણ પાર્કિંગના અભાવે નવી ફ્લાઈટ્સ શરૂ થઈ શકતી નથી

રાજકોટ એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો, પણ પાર્કિંગના અભાવે નવી ફ્લાઈટ્સ શરૂ થઈ શકતી નથી

0
Social Share

રાજકોટઃ શહેરમાં કોરોના કાળ પૂર્ણ થતાં એર ટ્રાફિકમાં સારોએવો વધારો થઈ રહ્યો છે. હાલ એરપોર્ટ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી બાજુ શહેરના એરપોર્ટ પર પાર્કિંગની વધુ સુવિધા ન હોવાથી કોલકત્તા સહિત અન્ય શહેરોની ફ્લાઈટ્સ શરૂ થઈ શક્તી નથી  એરપોર્ટ પરથી હાલ દિવસ દરમિયાન દિલ્હી અને મુંબઈની 4-4, ગોવા અને બેંગ્લોરની 1-1 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. પરંતુ  એરપોર્ટ પર એક સમયે એક મોટું અને એક નાનું વિમાન જ પાર્ક થઇ શકે તેટલું જ પાર્કિંગ હોવાથી નવી ફ્લાઈટ શરૂ થઇ શકતી નથી. આથી જ રાજકોટથી કોલકાતા, બનારસ, જયપુરની ફ્લાઈટ શરૂ કરવામાં વિલંબ થઇ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટ પર હાલ એક સમયે એક મોટું 180 સીટ૨ અને 1 નાનું બોઈંગ પાર્ક થઇ શકે છે. જો આ સમયે અન્ય કોઈ ફ્લાઈટ આવે તો તેને હવામાં જ રહેવું પડે છે. જેના કારણે મોંઘુ ઇંધણ પણ વધુ વપરાય રહ્યું છે. હાલ સ્પાઈસ જેટ દ્વારા રાજકોટથી જયપુર, કોલકાતા અને બનારસ જવા માટે મંજૂરી મંગાઇ હતી. જ્યારે ઈન્ડિગો દ્વારા જયપુરની ફ્લાઈટ શરૂ કરવા એપ્રુવલ માગવામાં આવી હતી. પરંતુ વિમાનોના પાર્કિંગના અભાવે નવી ચાર ફ્લાઈટની મંજૂરીમાં વિલંબ થઇ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એકસાથે મોટા 4 બોઇંગ પાર્ક થઇ શકે તે માટે રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગ તૈયાર કરી દેવામાં આવ્યું છે. 15 દિવસ પહેલા દિલ્હી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશન (DGCA)ની મંજૂરી મગાઇ છે. જે મંજૂરી બાદ જ ત્યાં 180 સીટર મોટા બોઇંગ વિમાન પાર્ક થઇ શકશે. કોરોનાની ત્રીજી લહેર પુરી થયા બાદ ફરી એકવખત રાજ્ય અને રાજ્યની બહાર લોકોની અવર-જવર રાબેતા મુજબ શરૂ થઈ ચૂકી છે. કોરોના હળવો પડતા જ રાજકોટ એરપોર્ટ પરથી મુસાફરોની હવાઈ સફરમાં વધારો થયો છે. કોરોનાના સમય દરમિયાન એક મહિનાની અંદર અવર-જવર કરતા મુસાફરોની સંખ્યા 30 હજાર આસપાસ રહેતી હતી. જે હવે વધીને 60 હજારે પહોંચી ગઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code