1. Home
  2. ગુજરાતી
  3. હિંસાગ્રસ્ત મણીપુરના આદિવાસી જૂથ ITLF એ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત
હિંસાગ્રસ્ત મણીપુરના આદિવાસી જૂથ ITLF એ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત

હિંસાગ્રસ્ત મણીપુરના આદિવાસી જૂથ ITLF એ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત

0
Social Share

દિલ્હીઃ- દેશના રાજ્ય મણીપુરમાં છએલ્લા મે મહિનાની શરુઆતથી હિંસાનો દોર ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં અહીના એક આદિવાસી ગૃપ એ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે.જાણકારી પ્રમાણે તેમએ પોતાની વાતો અને મોંગો રજૂ કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરમાં કુકૈઈ અને મતેઈ બે સમુદાયો વચ્ચે હિંસા ચાલુ છે. અશાંત મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસરૂપે, રાજ્યના આદિવાસીઓનું એક જૂથ બુધવારે અહીં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યું અને તેમની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે ઈન્ડિજિનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ ના એક પ્રતિનિધિમંડળે ગૃહમંત્રી સાથે વાતચીત ચીત કરી છે. આ જૂથની તેની પાંચ મુખ્ય માંગણીઓના ઉકેલની માંગણી કરી રહી છે, જેમાં મણિપુરથી સંપૂર્ણ અલગ થવું અને કુકી-ઝો સમુદાયના સભ્યોના મૃતદેહોને દફનાવવાનો સમાવેશ થાય છે. મૃતદેહો હાલમાં ઇમ્ફાલમાં પડ્યા છે અને જૂથ તેમને ચુરાચંદપુર લાવવાની માંગ કરવામાં આવી છે.

આ મેમોરેન્ડમ 27 સેક્ટર, આસામ રાઈફલ્સ હેડક્વાર્ટર દ્વારા મોકલવામાં આવ્યું છે. ITLF નેતાઓ પડોશી મિઝોરમની રાજધાની આઈઝોલ થઈને દિલ્હી પહોંચ્યા હતા. શાહે મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમની સાથે બેઠક માટે ITLFને આમંત્રણ આપ્યું હતું. મણિપુરમાં મેની શરૂઆતમાં કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે વંશીય હિંસા શરૂ થઈ હતી, જેમાં ત્યારથી અત્યાર સુધીમાં 160 થી વધુ લોકો માર્યા ગયા છે.ઉલ્લેખનીય છે કે મે મહિનાથી આ હિંસા શરુ થઈ હતી ત્યાર બાદ હાલ પણ છૂટી છવાઈ હિંસાની ઘટના સામે આવી રહી છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code