1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 10મી માર્ચથી તુવેર, ચણા, અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશેઃ ઋષિકેશ પટેલ
ગુજરાતમાં 10મી માર્ચથી તુવેર, ચણા, અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશેઃ ઋષિકેશ પટેલ

ગુજરાતમાં 10મી માર્ચથી તુવેર, ચણા, અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશેઃ ઋષિકેશ પટેલ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી તા.10મી માર્ચથી તા. 7મી જૂન 2023 દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. તેમ પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,  વર્ષ 2022-23 માં એડવાન્સ એસ્ટીમેટ મુજબ તુવેરનું  2.10  લાખ હેકટર, ચણાનું 7.31 લાખ હેકટર તથા રાઈનું  3.21 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,  વર્ષ 2022-23 માં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર તા. 01-02-2023થી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જે આગામી તા.28-02-2023 સુધી ચાલુ રહેશે. તા. 07-02- 2023  સુધીમાં તુવેર પાકમાં કુલ  1,431  ચણા પાકમાં 1,16,127 તથા રાયડા પાકમાં 949 ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્ય સરકાર દ્વારા આગામી તા.10-03-2023 થી તા.07-06-2023 દરમિયાન ટેકાના ભાવે ખરીદી કરાશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ 2022-23માં તુવેર પાકનો ટેકાનો ભાવ રૂ.6600 પ્રતિ કિવન્ટલ, ચણાનો રૂ.5335 પ્રતિ કિવન્ટલ તથા રાઈનો ભાવ રૂ. 5450 પ્રતિ કિવન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. તુવેરની ખરીદી 135 કેન્દ્રો, ચણાની ખરીદી 187 કેન્દ્રો અને રાઈની ખરીદી 103 કેન્દ્રો પરથી કરાશે. વર્ષ 2022-23 માં એડવાન્સ એસ્ટીમેટ મુજબ તુવેરનું  2.10  લાખ હેકટર, ચણાનું 7.31 લાખ હેકટર તથા રાઈનું  3.21 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. અને તા.10મી માર્ચથી તા. 7મી જૂન 2023 દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code