1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતની વીર નર્મદ યુનિ.માં હિન્દુ ધર્મનો બે વર્ષનો અનુસ્નાતક અભ્યાસક્રમ ભણાવાશે
સુરતની વીર નર્મદ યુનિ.માં  હિન્દુ ધર્મનો બે વર્ષનો અનુસ્નાતક  અભ્યાસક્રમ ભણાવાશે

સુરતની વીર નર્મદ યુનિ.માં હિન્દુ ધર્મનો બે વર્ષનો અનુસ્નાતક અભ્યાસક્રમ ભણાવાશે

0
Social Share

સુરતઃ સનાતન ધર્મના બે મહાન ગ્રંથ રામાયણ અને મહા ભારત જીવનના ઘડતર માટે પણ ખૂબ ઉપયોગી છે. દેશની યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડે તો માટે ધાર્મિક ગ્રંથોને સિલિબ્રસમાં મુકવામાં આવી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વીર નર્મદ યુનિવર્સિટી નવા શૈક્ષણિક સત્રથી હિન્દુ ધર્મ વિશે નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરશે. આર્ટસ ફેકલ્ટીમાં પહેલીવાર હિંદુ ધર્મ વિષય તરીકે ભણાવવામાં આવશે, જેને પગલે VNSGU આ પ્રકારનો કોર્સ ચલાવનારી રાજ્યની પહેલી યુનિવર્સિટી હશે.

વીર નર્મદ યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે, એમએ સમાજશાસ્ત્ર વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હિંદુ અભ્યાસ પર બે વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બે વર્ષનો “હિન્દુ અભ્યાસ” અભ્યાસક્રમ હાલમાં બનારસ હિંદુ યુનિવર્સિટી દ્વારા 2021-22 થી આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ચલાવવામાં આવે છે. સિન્ડિકેટ સભ્યો વચ્ચે ચર્ચા બાદ, દરખાસ્ત સ્વીકારવામાં આવી હતી અને બાદમાં તમામ સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવી હતી. પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સ હવે યુનિવર્સિટીના MA સમાજશાસ્ત્ર વિભાગમાં આગામી શૈક્ષણિક વર્ષમાં 2022-23માં ભણાવવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સમાજશાશ્ત્ર વિભાગમાં બે વર્ષિય હિન્દુ અભ્યાસમાં માટે વિઝિટિંગ ફેકલ્ટી નિમાશે. સિન્ડિકેટ સભ્ય ડૉ. સ્નેહલ જોષીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ હિંદુ ધર્મના વાસ્તવિક ખ્યાલને સમજી શકશે. માત્ર ધર્મ પર ધ્યાન કેન્દ્રીત કરાશે, દેવી-દેવતાની પૂજા પર નહીં. કોર્સમાં મહાભારત, રામાયણ, વેદના રોજિંદા જીવન સાથેના સંબંધનો સમાવેશ કરાશે. મહાભારત અને રામાયણના ગ્રંથો વિદ્યાર્થીઓને જીવન ઘડતરમાં પણ ઉપયોગી બનશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code