1. Home
  2. ગુજરાતી
  3. ઉદ્ધવ ઠાકરે એ અગ્નિપરિક્ષામાંથી પસાર થવું પડશે – ફ્લોર ટેસ્ટમાં સાબિત કરવી પડશે બહૂમતિ
ઉદ્ધવ ઠાકરે એ અગ્નિપરિક્ષામાંથી પસાર થવું પડશે –  ફ્લોર ટેસ્ટમાં સાબિત કરવી પડશે બહૂમતિ

ઉદ્ધવ ઠાકરે એ અગ્નિપરિક્ષામાંથી પસાર થવું પડશે – ફ્લોર ટેસ્ટમાં સાબિત કરવી પડશે બહૂમતિ

0
Social Share
  • ઉદ્ધવ ઠાકરેની થશે અગ્નિપરિક્ષા
  • સાંજે ફ્લોર ટેસ્ટમાં સાબિત કરવી પડશે બહૂમતિ

મુંબઈઃ- છેલ્લા કેટલાક દિવલોથી મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું છે. શિવસેના પાર્ટીમાં ઉથલપાથલ દોવા મળી રહી છે ત્યારે હવે છેવટે ફ્લોર ટેસ્ટ સાબિત કરવાનો સમય આવી ચૂક્યો છે,મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલ એક વળાંક તરફ આગળ વધી રહી છે.

એક તરફ ભાજપે સરકાર બનાવવાની કવાયત તેજ કરી દીધી છે તો બીજી તરફ શિંદે જૂથના ધારાસભ્યો પણ ગુવાહાટીની હોટલમાંથી નીકળી ગયા છે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના રાજ્યપાલને પત્ર લખીને ફ્લોર ટેસ્ટની માંગ કરી છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા જણાવ્યું છે.આ સાથે જ રાજ્યપાલે ઉદ્ધવને પત્ર લખીને આ આદેશ આપ્યો છે. સીએમ ઉદ્ધવે આ ટેસ્ટ માંથી પસાર થવાનું રહેશે

ઉલ્લેખનીય છે કે ફડણવીસ મંગળવારે સાંજે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ મળ્યા હતા. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના ફ્લોર ટેસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.

રાજ્યપાલ કોશ્યારીએ 30 જૂને મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ માટે તેમણે એક પત્ર પણ જારી કર્યો છે. અહેવાલ છે કે આ દરમિયાન સરકારે ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવી પડશે. આ સમગ્ર સત્ર સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. .આથી વિશેષ કે  ફ્લોર ટેસ્ટનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તે જ સમયે, શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું કે ગુવાહાટીમાં હાજર તમામ બળવાખોર ધારાસભ્ય આવતીકાલે મુંબઈ જશે.

ફડણવીસે દાવો કર્યો હતો કે શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન સરકાર લઘુમતીમાં હોય તેવું લાગે છે કારણ કે શિંદે જૂથના 39 શિવસેના ધારાસભ્યોએ કહ્યું છે કે તેઓ સરકારને ટેકો આપતા નથી. સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો ઉલ્લેખ કરતા, ફડણવીસે રાજ્યપાલને સુપરત કરેલા પત્રમાં જણાવ્યું હતું કે સંસદીય લોકશાહીમાં ગૃહમાં બહુમતી “સર્વોચ્ચ” છે અને સરકારના અસ્તિત્વ માટે જરૂરી છે. તેમણે રાજ્યપાલને વિનંતી કરી કે તેઓ મુખ્યમંત્રીને વહેલી તકે બહુમતી સાબિત કરવા કહે.  ત્યારે હવે આજે સાંજે ઉદ્ધવ ઠાકરેએ એગ્નિપરિક્ષા આપવાનો વારો આવ્યો છે ,ફ્લોર ટેસ્ટ દરમિયાન તેમણે બહુમત સાબિત કરવા પડશે નહી તો ઠાકરેની સત્તા હવે ડુબવાની તૈયારીમાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code