1. Home
  2. ગુજરાતી
  3. ઉમેશ પાલ મર્ડર કેસ મામલે યુપી STFને મળી સફળતા, અતીક-અશરફના સંબંધીની દિલ્હીમાં કરાઈ ઘરપકડ
ઉમેશ પાલ મર્ડર કેસ મામલે યુપી STFને મળી સફળતા, અતીક-અશરફના સંબંધીની દિલ્હીમાં કરાઈ ઘરપકડ

ઉમેશ પાલ મર્ડર કેસ મામલે યુપી STFને મળી સફળતા, અતીક-અશરફના સંબંધીની દિલ્હીમાં કરાઈ ઘરપકડ

0
Social Share

લખનૌ- ઉમેશ હત્યાપાલ કેસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ઉત્તરપ્રદેશ એસટીએફને આ કેસમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ હોવાના એહવાલ સામે આવી રહ્યા છેSTFએ ઉમેશ પાલ હત્યા કેસના ફરાર આરોપી સદ્દામની દિલ્હીથી ધરપકડ કરી છે.

જાણકારી અનુસાર માફિયા અશરફના સાળા સદ્દામ વિરુદ્ધ બરેલીના બિથરી ચેનપુર અને બરાદરી પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધાયેલા છે. UP STFએ દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાંથી સદ્દામની ધરપકડ કરી છે. સદ્દામ પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસનો આરોપી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જેની ઘરકપડ કરવામાં આવી છે તે સદ્દામ અતીક અહેમદના ભાઈ અશરફનો સાળો છે. ઉમેશ પાલની હત્યા બાદ તે ઘણા સમયથી ફરાર થઈ ગયો હતો. સદ્દામ પર એક લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે ભાગી ગયો હતો ત્યારથી તેને એસટીએફ તેને શોધી રહી હતી, સદ્દામ ધરપકડથી બચવા માટે સતત તેના સ્થાનો બદલી રહ્યો હતો જદો કે હવે દિલ્હીથી પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code