1. Home
  2. ગુજરાતી
  3. ઉપરાષ્ટ્રપતિએ પરસારામ પટ્ટાભિ કેશવ રામાચાર્યુલુની રાજ્યાસભાના નવા મહાસચિવ તરીકે નિમણૂક કરી
ઉપરાષ્ટ્રપતિએ પરસારામ પટ્ટાભિ કેશવ રામાચાર્યુલુની રાજ્યાસભાના નવા મહાસચિવ તરીકે નિમણૂક કરી

ઉપરાષ્ટ્રપતિએ પરસારામ પટ્ટાભિ કેશવ રામાચાર્યુલુની રાજ્યાસભાના નવા મહાસચિવ તરીકે નિમણૂક કરી

0
Social Share
  • ઉપરાષ્ટ્રપતિએ નવા મહાસચિવની  નિમણૂક કરી
  • પરસારામ પટ્ટાભિ કેશવ રામાચાર્યુલુની કરી પસંદગી

 

દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ મંગળવારના રોડ ડો,પરસારામ પટ્ટાભી કેશવ રામાચાર્યુલુને સંસદના ઉચ્ચ ગૃહના નવા મહાસચિવ તરીકે નિમણૂક કર્યા છે. રામાચાર્યુલુ 2018 થી રાજ્યસભા સચિવાલયમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા છે અને રામાચાર્યુલુ હવે ચાર વર્ષ આ સેવા આપ્યા બાદ રાજીનામું આપનાર દેશ દીપક વર્મા પાસેથી નવો કાર્યભાર સંભાળશે.

રાજ્યસભા સચિવાલય મુજબ રામાચાર્યુલુ જનરલ સેક્રેટરીના હોદ્દા પર પહોંચનાર ઉચ્ચ ગૃહના પ્રથમ કર્મચારી છે. લોકસભાના મહાસચિવ તરીકે અત્યાર સુધીમાં નવ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.

જાણો કોણ છે રામાચાર્યુલુ

  • તેમનો જન્મ વર્ષ 1958 માં  થયો હતો, રામાચાર્યુલુને સંસદની કામગીરીના વિવિધ પાસાઓને સંભાળવાનો લગભગ 40 વર્ષનો મજબૂત અનુભવ છે.
  • લોકસભા સચિવાલયમાં એક વર્ષની સેવા આપ્યા બાદ વર્ષ 1983 માં સચિવાલયમાં જોડાયા હતા.
  • રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે 2017 માં આંધ્ર પ્રદેશ વિધાનસભાના વિશેષ સચિવ તરીકે પણ સેવા આપી હતી.
  • જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ કાયદામાં સ્નાતકની ડિગ્રી અને આર્ટ્સ રાજનૈતિક વિજ્ઞાનમાં તેમણે માસ્ટર ડિગ્રી મેળવી છે.
  • તેમની ખાસ સિદ્ધીની જો વાત કરીએ તો વર્ષ 2005 માં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દ્વારા ‘ભારતીય સંસદની સમિતિ પ્રણાલી અને અમેરિકન કોંગ્રેસ: એક તુલનાત્મક અભ્યાસ’ પરના કાર્ય માટે રામાચાર્યુલુને ડોક્ટર ઓફ ફિલોસોફી સમ્માનથી નવાઝવામાં આવ્યા હતા

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code