- રાહુલ ગાંધીને સામાન્ય વ્યક્તિનો પ્રશ્ન
- રાહુલ ગાંધીએ આપ્યો આવો જવાબ
- ગાંધી પરિવાર કન્યાકુમારીની મુલાકાતે
રાહુલ ગાંધી પીએમ બને તે માટે આજે પણ કેટલાક લોકો સપના જોઈ રહ્યા છે. દેશમાં એક નાનો વર્ગ એવો પણ છે કે જે ઈચ્છે છે કે રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવા માગે છે. ત્યારે એક વ્યક્તિએ રાહુલ ગાંધીને પુછી જ લીધુ કે તમે દેશના વડાપ્રધાન બનો તો સૌથી પહેલા શું કરો?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પોતાની દિવાળી કન્યાકુમારીના સેંટ જોસેફ મૈટ્રિક હાયર સેકેન્ડરી સ્કૂલના વિજિટર્સ સાથે વિતાવી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટર પર આ વાતચીતનો એક વીડિયો પણ શેર કરતા લખ્યુ કે, આ મુલાકાતથી તેમની દિવાળી વધુ ખાસ બની ગઈ છે. વાતચીત દરમિયાન રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યુ કે, ભારતના પ્રધાનમંત્રી બનો તો, તેમનો પ્રથમ સરકારી આદેશ શું હશે, જે તેઓ પસાર કરશે.
આ મુદ્દે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા એવી હતી કે તેમણે કહ્યું કે જો કોઈ મને પૂછે કે તમે તમારા બાળકને શું શીખવશો તો હું કહીશ નમ્રતા, કારણ કે નમ્રતા એવી છે જે તમે સમજો છો. જો કે શનિવારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભાઈ દૂજના અવસર પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની એક જૂની તસવીર ટ્વિટર પર શેર કરી અને કહ્યું કે મને ગર્વ અને આનંદ છે કે મારા ભાઈ કરુણા, પ્રેમ અને હિંમત સાથે સત્ય માટે લડી રહ્યા છે.
Interaction and dinner with friends from St. Joseph’s Matric Hr. Sec. School, Mulagumoodu, Kanyakumari (TN). Their visit made Diwali even more special.
This confluence of cultures is our country’s biggest strength and we must preserve it. pic.twitter.com/eNNJfvkYEH
— Rahul Gandhi (@RahulGandhi) November 6, 2021
રાત્રિભોજનનો સમય હોવાથી, રાહુલ ગાંધી તમિલનાડુના તેમના મિત્રો માટે દિલ્હીના કેટલાક વિશિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવા માંગતા હતા અને તેમણે છોલે ભટુરે અને કુલ્ફી માંગી હતી.