1. Home
  2. ગુજરાતી
  3. ગાજ્યાં મેહ વરસે કે નહીં, વરસાદની આગાહી કેમ 100 ટકા સાચી પડતી નથી ? જાણો

ગાજ્યાં મેહ વરસે કે નહીં, વરસાદની આગાહી કેમ 100 ટકા સાચી પડતી નથી ? જાણો

0
Social Share

અમદાવાદઃ કહેવત છે કે, ગાજ્યાં મેહ વરસતા નથી. હવામાન વિભાગ વરસાદની આગહી તો કરે પણ તે 100 ટકા સાચી પડે તેવું બનતું નથી.  ખાસ કરીને ચોમાસામાં હવામાન ખાતા દ્વારા કરવામાં આવતી આગાહી કેટલી સાચી પડે છે તે અંગે વારંવાર પ્રશ્નો ઉઠતા હોય છે. જ્યારે વરસાદ, ગરમી, ઠંડી કે વાવાઝોડા જેવા કુદરતી ઉતાર–ચઢાવ અંગે અનુમાન કરવામાં આવે તે પછી જો તે પ્રમાણેનું હવામાન ના બને તો ટિકા અને નિંદાઓ થતી હોય છે. ચોમાસુ હજુ પણ શહેરો અને તેના આસપાસના વિસ્તારોથી દૂર હોવાના કારણે પૂર્વાનુમાનને લઈને ભારતીય હવાામાન વિભાગ નિદાઓથી ઘેરાઈ રહ્યું છે.

હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ દુનિયામાં કોઈ પણ આગાહી મોડલમાં સર્વશ્રે ટેકનોલોજી સાથે પણ હજુ 100 ટકા ચોકસાઈ જોવા મળતી નથી.અણધાર્યુ ચોમાસું હોય ત્યારે તેના વિશે શ્રેષ્ઠ ટેકનોલોજીની મદદથી પણ માત્ર 55થી 60 ટકા ચોકસાઈવાળી જ આગાહી કરી શકાતી હોય છે. આઈએમડીમાં ફરજ બજાવતા એક અધિકારીએ કહ્યું હતું કે, ચોમાસું ધીમું હોવાની અને જુલાઈના બીજા અઠવાડિયા સુધી મધ્ય સુધી આવવાના સંબંધમાં 1લી જુલાઈએ કરાયેલા પૂર્વાનુમાન હજુ ટ્રેક પર છે. જોકે, કેટલાક મામલામાં લાંબા સમયના પૂર્વાનુમાન ચોક્કસ ના હોઈ શકે. આ પ્રકારની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે, કે 15 દિવસથી વધુના સમયમાં ચોમાસુ કઈ રીતે આગળ વધશે.

હવામાન વિભાગ મુજબ 24 કલાક માટેની હવામાનની અપડેટ 80 ટકા તેનાથી વધુ 5 દિવસ માટેની આગાહી 60 ટકા સાચી પડતી હોય છે. હવામાન વિભાગ મુજબ, આ પ્રકારનું અનુમાન માનવ હસ્તક્ષેપ પર આધારિત હોય છે, કારણે ઘણી વખત માત્ર ડેટા ઉપર આધારિત રહેવાથી અર્થઘટન અવળું થઈ શકે છે. દરરોજ સવારે હવામાન વિભાગ દ્વારા વિડીયો મીટિંગનું આયોજન કરવામાં આવે છે જેમાં દેશભરના વૈજ્ઞાનિક પોતાનો અનુભવ શેર કરે છે, આ સાથે થોડા દિવસ માટે રહેનારી પેટર્ન વિશે વાત કરે છે. હવામાન અંગેની આગાહી મશીન, સેટેલાઈટ તસવીરો અને રડાર ટેકનોલોજી પર આધારિત હોય છે. હવામાન વિભાગના અધિકારી આ અંગે જણાવે છે કે, હવામાન અંગેની આગાહીમાં 70 ટકા ટેકનોલોજી અને 30 ટકા માનવ હસ્તક્ષેપ જવાબદાર હોય છે.

આઈએમડીના અધિકારીએ જણાવ્યું હતું  કે, મશીનરી, મોડલ અને માનવ સ્કીલ તથા અનુભવનો આગાહીમાં સંયોજન હોય છે. 24 કલાકના હવામાનમાં કયારેય અચાનક આવતા ફેરફારો નોંધવા અશકય હોય છે, કલાકોના અનુમાનમાં શકય હોય છે. જેના કારણે અમારી નાઉકાસ્ટ સુવિધા, જે દર ત્રણ કલાક માટે આગાહી કરે છે જે વધારે ચોકસાઈવાળી હોય છે. એટલે કે સેટેલાઈટ તસવીરોના આધારે કરવામાં આવેલું 3-4 કલાકનું અનુમાન 24 કલાક માટે ખોટું પણ પડી શકે છે, વૈજ્ઞાનિકો ટેકનોલોજીનો કઈ રીતે વધુ ઉપયોગ થઈ શકે તે અંગે પણ વિવિધ સંશોધન કરી રહ્યા છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code