
કિશોરાવસ્થામાં શા માટે બાળકના વર્તનમાં આવે છે પરિવર્તન ,માતા-પિતાએ જાણવી જોઈએ આ કેટલીક વાતો
- માતા-પિતાએ ટીનેજ બાળક સાથએ મિત્ર બનીને વર્તવું જોઈએ
- બાળક સાથે વધુને વધુ સમય પસાર કરવો જોઈએ
જ્યા સુધી બાળક બાળક છે ત્યા સુધી તમારી વાત માની લે છે પરંતુ બાળકની જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ તે ટીનેજની અવસ્થામાં આવવા લાગે છે અને માતા પિતાની વાતને માલતા નથી પોતાની મનમાની કરતા હોય છે આ પાછળ તેમની ઉંમર જવાબદાર હોય છે ,તમે ક્યારેય વિચાર્યું છે કે બાળકોના સ્વભાવમાં આવા બદલાવ કિશોરાવસ્થાથી જ કેમ આવવા લાગે છે.
આ વયે બાળક કેમ ગુસ્સે કે જીદ્દી બને છે? ખરેખર, આ ઉંમરે બાળકોના શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થઈ રહ્યા છે. જેની અસર તેમના વર્તન પર સ્પષ્ટપણે જોવા મળે છે. આવી સ્થિતિમાં, માતાપિતાએ ચિંતા કરવાને બદલે આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ.
આ વયના બાળકો ઓળખ સંકટનો સામનો કરી રહ્યા છે. આવા બાળકો પોતાની ઓળખ બનાવવા માટે વડીલોની આજ્ઞા માનવાને બદલે તેમના શિક્ષણ, મિત્રતા અને ભોજન વગેરેને લગતા નિર્ણયો જાતે લેવાનો પ્રયાસ કરે છે. ત્યારે તમારે પ્રેમભાવથી સમજાવવું જોઈએ તેમના પર ગુસ્સો ન કરવો જોઈએ
આ ઉંમરે બાળકો નાની-નાની બાબતો પર ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. જો તેમના પર કોઈ ભૂલ થઈ જાય તો તેઓ જલ્દી ગુસ્સે થવા લાગે છે.આવી સ્થિતિમાં તેને શઆંત કરવાનો પ્રત્ન કરો તેના પર સામેથી ગુસ્સો કરવાનું ટાળો
કિશોરાવસ્થામાં બાળકોને નાના-નાના કાર્યો જાતે કરવા પ્રેરિત કરો. ઘર માટે કોઈ પણ જરૂરી વસ્તુઓ ખરીદતી વખતે તેમની સલાહ લો. આ કરતી વખતે એ જરૂરી નથી કે તમે દરેક વાતનું પાલન કરવાનું શરૂ કરો, તમે તમારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય સામેલ કરો જેથી તેમનો વિશ્વાસ તમારા પર વધશે
બાળકો આ બધુ એટલા માટે કરે છે કે હોર્મોન અસંતુલન આવી સમસ્યાનું મુખ્ય કારણ છે. આ સિવાય ટીનેજર્સનું એનર્જી લેવલ ઘણું વધારે હોય છે. પરંતુ આધુનિક જીવનશૈલીમાંથી આઉટડોર ગેમ્સ અને શારીરિક પ્રવૃત્તિઓ ગાયબ થઈ રહી છે. આવી સ્થિતિમાં, જો બાળકને તેની ઊર્જા છોડવાની તક ન મળે, તો તેની અસર ગુસ્સા અથવા આક્રમક વર્તનના સ્વરૂપમાં જોવા મળે છે.