1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં ‘કાળા તલ’ શા માટે ખાવામાં આવે છે – જાણો તલ ખાવાથી થતા ફાયદાઓ
શિયાળામાં ‘કાળા તલ’ શા માટે ખાવામાં આવે છે – જાણો તલ ખાવાથી થતા ફાયદાઓ

શિયાળામાં ‘કાળા તલ’ શા માટે ખાવામાં આવે છે – જાણો તલ ખાવાથી થતા ફાયદાઓ

0
Social Share
  • તલનું તેલ શરીરને તંદુરસ્ત રાખે છે
  • તલ ખાવીથી શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે
  • શિયાળો આવતા ઘરમાં તલ ખાવાનું પ્રમાણ વધી જાય છે

શિયાળો આવતાની સાથે ધરમાં મગફળી, તલ, સૂંઠ વગેરે ખાવાનું પ્રમાણ વધતું હોય છે,જેમાં ખાસ કરીને તલ વધુ ખવાતા હોય છે.તલની જુદી-જુદી વસ્તુઓ ઘરમાં બનતી હોય છે,જેમ કે તલના લાડુ, તલની ચીકી અને ખાસ કરીને તમામ પ્રકારના પાકમાં તલને એડ કરવામાં આવે છે,પરંતુ શું તમે જાણો છો તલ ખાવાથી શું ફાયદા થાય છે.તો ચાલો જાણીએ.

આપણે જાણીએ છીએ તેમ તલ બે પ્રકારનો હોય છે સફેદ અને કાળા તલ, ખાસ કરીને શિયાળામાં કાળાતલની હાનિ લોકો ખાાવાનું પસંદ કરે છે,બન્ને તલની તાસીર ગરમ હોય છે જે ઠંડીની ઋતુમાં ગરમાટો ઇત્પન્ન કરે છે,શરીરના લોહીને ફરતુ રાખે છે.તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક રોગ અને તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શિયમની આવશ્યકતા પૂર્ણ થાય છે.

કાળા તલ અને તલના અનેક ફાયદાઓ

  • તલ ખાવાથી ગર્ભવતી મહિલા અને નવજાત બાળકો માટે લાભદાયી છે.
  • નાના બાળકોનાં વિકાસ માટે તલના તેલનું માલિશ કરવું ખૂબ જ ફાયદાકારક છે.
  • તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવાથી ઉધરસમાં રાહત થાય છે.
  • બાળક સુતી વખતે પથારી ભીનું કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળ સાથે ભેળવીને લાડુ બનાવીને ખવડાવાથી આ સમસ્યામાંથી છૂટકારો ણળે છે
  • એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવશેકુ પાણી પીવાથી પેટનો દુ:ખાવો  દુર થાય છે
  • તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાની ચાદીમાં આરામ મળે છે
  • તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવામાં રાહત થાય છે
  • આ સાથે જ કાળા તલના તેલથી સાંધાનો દુ:ખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code