1. Home
  2. ગુજરાતી
  3. રક્ષાબંધન પર બહેનોને યોગી સરકાર આપશે મોટી ભેટ,રોડવેઝ બસમાં બે દિવસ મફત મુસાફરી કરી શકશે
રક્ષાબંધન પર બહેનોને યોગી સરકાર આપશે મોટી ભેટ,રોડવેઝ બસમાં બે દિવસ મફત મુસાફરી કરી શકશે

રક્ષાબંધન પર બહેનોને યોગી સરકાર આપશે મોટી ભેટ,રોડવેઝ બસમાં બે દિવસ મફત મુસાફરી કરી શકશે

0
Social Share

લખનઉ: 30 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ યુપી સરકાર બહેનોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. હકીકતમાં, આ વર્ષે પણ યુપી સરકાર રક્ષાબંધનના દિવસે મહિલાઓ માટે મફત બસ મુસાફરીની સુવિધા આપશે.

જો કે હજુ સુધી સત્તાવાર એડવાઈઝરી જારી કરવામાં આવી નથી, પરંતુ યુપી સરકારના સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના પ્રાદેશિક મેનેજર કેસરી નંદન ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે.

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમના પ્રાદેશિક મેનેજર કેસરી નંદન કહ્યું હતું કે – છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન પર દર વખતે મહિલાઓ માટે મફત બસ સેવા છે. આ વખતે પણ મહિલાઓ માટે 29મી ઓગસ્ટની રાત્રિથી 30મી ઓગસ્ટ સુધી મફત સેવા આપવામાં આવશે. આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આદેશ મળતાની સાથે જ એડવાઈઝરી જારી કરવામાં આવશે.

રક્ષાબંધન પર મહિલાઓએ બસમાં લટકતી અને ઉભા રહીને મુસાફરી કરવી પડે છે. આ વખતે કઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. તહેવાર પર મોટી ભીડને કારણે થોડી સમસ્યા છે. આ વખતે કોઈ સમસ્યા ન થાય તે માટે જે બસો ખરાબ હાલતમાં ઊભી છે તેને પણ સુધારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

કૌશામ્બી બસ ડેપોમાંથી 162, ગાઝિયાબાદ ડેપોમાંથી 58 અને સાહિબાબાદ ડેપોમાંથી 180 બસો ચલાવવામાં આવશે. જરૂર પડ્યે કોન્ટ્રાક્ટવાળી બસો પણ દોડાવવામાં આવશે. બસોની ફ્રિકવન્સી પણ વધારવામાં આવશે. જેથી લોકોને મુશ્કેલી ન પડે.

તમામ બસો પર ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમના રિજનલ મેનેજર, આસિસ્ટન્ટ રિજનલ મેનેજર અને સર્વિસ મેનેજરના નંબર લખેલા છે. મહિલાઓ તેમને ફોન કરીને તેમની ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત રક્ષાબંધન પર બે દિવસ માટે કૌશામ્બી બસ ડેપો ખાતે એક અલગ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code