અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ગઈકાલ કરતા આજે ગુરૂવારે ઘટાડો નોંધાયો હતો. આજે ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 12911 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4405 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે 22 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-7, સુરત શહેર -1 વડોદરા શહેર-2, રાજકોટમાં-3 અને મહેસાણા-2, ભાવનગર શહેર-1, અને જિલ્લામાં-1, ભરૂચ-2, જામનગર-1, નવસારી-1, તેમજ વલસાડ-1નો સમાવેશ થાય છે. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 2,13,822 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,71,90,691 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 88.56 ટકા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. પણ મૃત્યુનો દર વધ્યો છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે બુધવારે રાજ્યમાં કોરોનાના 14781 કેસ નોંધાયા હતા. આજે ગુરૂવારે 12911 કેસ નોંધાતા 1870 કેસનો ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે બુધવારે 5248 કેસ નોંધાયા હતા. જ્યારે આજે ગુરૂવાર 4405 કેસ નોંધાતા 843 કેસનો ઘટાડો થયો છે. રાજ્યમાં આજે 23197 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 117884 છે. જેમાં વેન્ટીલેટર પર 304 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 117580 છે,
ગુજરાતમાં કોરોનાના આજે 12911 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 4405 કેસ, સુરત શહેરમાં 708 કેસ, વડોદરા શહેરમાં 1871 કેસ, આણંદમાં 196 કેસ, કચ્છમાં 243 કેસ, રાજકોટ શહેરમાં 1008 કેસ, ખેડામાં 144, કેસ ભરૂચમાં 180 કેસ, અમદાવાદ જિલ્લામાં 96 કેસ, ગાંધીનગર શહેરમાં 364 કેસ, અને જિલ્લામાં 158, રાજકોટ જિલ્લામાં 259 કેસ, ભાવનગર શહેરમાં 233 કેસ અને જિલ્લામાં 30 કેસ, જામનગર શહેરમાં 172 કેસ, તેમજ સાબરકાંઠામાં 105 અને બનાસકાંઠામાં 243 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે 22નાં મોત નિપજ્યા હતા.