1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને હથિયારબંધ લોકોના જૂથ વચ્ચે થયેલી અથડામણમાં 17 ના મોત
અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને હથિયારબંધ લોકોના જૂથ વચ્ચે થયેલી અથડામણમાં 17 ના મોત

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને હથિયારબંધ લોકોના જૂથ વચ્ચે થયેલી અથડામણમાં 17 ના મોત

0
Social Share
  • તાલિબાન અને હથિયારબંધ લોકોના જૂથ વચ્ચે અથડામણ
  • અથડામણમાં 17 લોકોના નિપજ્યા મોત
  • મૃતકોમાં 7 બાળકો અને ૩ મહિલાઓ પણ સામેલ

દિલ્હી:અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને હથિયારબંધ લોકોના જૂથ વચ્ચે થયેલ અથડામણમાં 17 લોકોના મોત થયા છે.જેમાં સાત બાળકો, ત્રણ મહિલાઓ અને સાત પુરૂષો સહિત 17 લોકોના મૃતદેહોને આજે હેરાત પ્રાંતની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.સુત્રોના જણાવ્યા મુજબ,તે બધાને ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા હતા.

અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાનોએ રવિવારે હેરાતમાં અપહરણમાં સામેલ સ્થાનિક ગુનેગારો સામે ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ઓછામાં ઓછા ત્રણ ગુનેગારો માર્યા ગયા હતા.તાલિબાન 15 ઓગસ્ટના રોજ રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યું.જેના કારણે પાછલી સરકાર પડી અને મોટી સંખ્યામાં વિદેશી કામદારો અને અફઘાન સહયોગીઓ દેશ છોડવા લાગ્યા.

રવિવારે થયેલી અથડામણ લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. ગૃહ મંત્રાલયના પ્રવક્તા કારી સઈદ ખોસ્તીએ આરોપ લગાવ્યો હતો કે,એક ઘરમાં છૂપાયેલા ત્રણ અપહરણકારો પોલીસ દ્વારા ઓપરેશન દરમિયાન માર્યા ગયા હતા. જો કે, પ્રાંતીય તાલિબાન પ્રવક્તાએ આ અંગે અલગ માહિતી આપી હતી. શરૂઆતમાં, કેટલાક સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે,તાલિબાન દળોએ તાજેતરમાં ઇસ્લામિક સ્ટેટમાં જોડાયેલા એક અલગ થયેલા જૂથ પર દરોડા પાડ્યા હતા.2015માં અફઘાનિસ્તાનમાં ISના ઉદભવથી બે ઉગ્રવાદી જૂથો એકબીજા સામે લડી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code