1. Home
  2. ગુજરાતી
  3. રાજધાનીમાં કોરોનાના 2,495 નવા કેસ નોંધાયા,7 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ
રાજધાનીમાં કોરોનાના 2,495 નવા કેસ નોંધાયા,7 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ

રાજધાનીમાં કોરોનાના 2,495 નવા કેસ નોંધાયા,7 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ

0
Social Share
  •  દિલ્હીમાં કોરોનાની ઝડપ ‘ખતરનાક’
  • છેલ્લા 24 કલાકમાં  2495 કેસ નોંધાયા
  • 7 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ  

દિલ્હી:દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધઘટ જોવા મળી રહી છે.ત્યારે રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2495 નવા કેસ નોંધાયા છે.આ વખતે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળ્યો છે. 24 કલાકમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.દિલ્હીમાં સંક્રમણનો દર 15.41% પર ચાલી રહ્યો છે.

રાજધાનીમાં સુસ્ત પરીક્ષણનો દોર જોવા મળી રહ્યો છે.મંગળવારે દિલ્હીમાં કોરોનાના કુલ 16,187 ટેસ્ટ કરવામાં આવ્યા છે.અહીં પણ RTPCRની સંખ્યા 10,451 છે અને એન્ટિજેનની સંખ્યા 5,736 છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કેસોમાં આ ઉછાળો ઓમિક્રોનના સબવેરિયન્ટને કારણે જોવા મળી રહ્યો છે.વધતા જતા કેસોને કારણે રાજધાનીમાં મેટ્રો અને જાહેર સ્થળોએ પણ ફરીથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.સરકારે સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે,માસ્ક નહીં પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે.હવે પ્રતિબંધો પાછા ફરવાથી લોકો પરેશાન થઈ ગયા છે.પહેલા પણ કેસ વધી રહ્યા હતા, પરંતુ પછી પ્રતિબંધો જોવા મળ્યા ન હતા. હવે લાંબા સમય બાદ રાજધાનીમાં કેટલાક પ્રતિબંધો પાછા ફર્યા છે.

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code