1. Home
  2. ગુજરાતી
  3. ONGC હેલિકોપ્ટર દુર્ઘટનામાં 4ના મોત,પાંચને બચાવ્યા 
ONGC હેલિકોપ્ટર દુર્ઘટનામાં 4ના મોત,પાંચને બચાવ્યા 

ONGC હેલિકોપ્ટર દુર્ઘટનામાં 4ના મોત,પાંચને બચાવ્યા 

0
Social Share
  • ONGC હેલિકોપ્ટર દુર્ઘટના
  • દુર્ઘટનામાં 4 મુસાફરોના મોત
  • પાંચને સુરક્ષિત રીતે બચાવી લેવાયા

મુંબઈ:ONGC હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા છે અને પાંચને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ONGC) હેલિકોપ્ટરે અરબી સમુદ્રમાં ઓઈલ રીગ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.આ હેલિકોપ્ટરમાં કુલ 9 લોકો સવાર હતા. જેમાંથી તમામ 9 મુસાફરોને લઈ જવામાં આવ્યા હતા,પરંતુ સારવાર દરમિયાન ચાર લોકોના મોત થયા હતા.

મળતી માહિતી મુજબ, બચાવ કામગીરી થોડા કલાકોમાં પૂર્ણ કરવામાં આવી હતી. ઓએનજીસીના જહાજ માલવિયા-16 અને 5ને ઓએનજીસીના રિગ સાગર કિરણની બોટમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.ઓએનજીસી હેલિકોપ્ટરના મુસાફરોને બચાવવા માટે નેવીએ હેલિકોપ્ટર અને નેવી તૈનાત કરી હતી.જો કે સારવાર દરમિયાન ચાર લોકોના મોત થયા હતા.

કંપનીએ અગાઉ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે,7 મુસાફરો અને 2 પાઇલોટને લઈને હેલિકોપ્ટરે મંગળવારે મુંબઈ હાઈમાં સાગર કિરણ ખાતે ONGC રિગ પાસે અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.ઓએનજીસીના હેલિકોપ્ટરમાં છ ONGC કર્મચારીઓ સવાર હતા. બાદમાં માહિતી મળી કે દરિયામાં કોસ્ટ ગાર્ડના જહાજને સ્થળ પર જવા માટે કહેવામાં આવ્યું હતું. અન્ય જહાજ બચાવ કામગીરીમાં જોડાવા માટે મુંબઈથી રવાના થયું.કોસ્ટ ગાર્ડે ભારતીય નૌકાદળ અને ONGC સાથે સહયોગ કર્યો.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code