
આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર મોટરકાર અને ટ્રક વચ્ચે અકસ્માતઃ 6ના મોત
દિલ્હીઃ ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર પૂરઝડપે પસાર થતી મોટરકાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છ વ્યક્તિઓના મોત થયાં હતા. મોટરકારમાં સવાર લોકો લખનૌથી મહેદીપુર બાલાજી દર્શન કરવા જઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આગ્રા-લખનૌ એક્સપ્રેસ હાઈવે પર પૂરઝડપે સવારે મોટરકાર પસાર થતી હતી. દરમિયાન કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતને પગલે કારમાં સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં કારમાં સવાર છ વ્યક્તિઓના મોત થયાં હતા.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કન્નૌજમાં થયેલા રોડ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને દુર્ઘટના સ્થળ પર રહેલા પીડિતોની યથાસંભવ મદદ કરવાના નિર્દેશ આપ્યા છે.