1. Home
  2. ગુજરાતી
  3. પશ્ચિમ કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, 132 લોકોનાં મોત
પશ્ચિમ કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, 132 લોકોનાં મોત

પશ્ચિમ કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, 132 લોકોનાં મોત

0
Social Share

નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2026: પશ્ચિમ કોલંબિયામાં રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં 132 લોકોનાં મોત થયાં હતાં અને 570 લોકો ઘાયલ થયા હતા. યુ.એસ. જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજધાની બોગોટાથી લગભગ 400 કિલોમીટર પશ્ચિમમાં આવેલા ચોકો (Chocó) પ્રદેશના સાન જોસ ડેલ પાલમાર ખાતે હતું. સેંકડો ઈમારતોને નુકસાન થયું છે અને કાટમાળ નીચે લોકો ફસાયા હોવાના અહેવાલો છે.

કોલંબિયાના રાષ્ટ્રપતિ એબેલાર્ડો ડી લા એસ્પ્રીએલાએ રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. દેશભરની ૨૦થી વધુ નગરપાલિકાઓ આનાથી પ્રભાવિત થઈ છે. ભૂકંપને કારણે પેરેઇરા, ક્વિબ્ડો, કાલી અને મનિઝાલેસ જેવા શહેરોમાં નુકસાન થયું છે.

પાડોશી દેશો એક્વાડોર અને પનામામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે તેમાં કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. અધિકારીઓએ ભૂકંપ બાદ આફ્ટરશોક્સ (પછીના આંચકા) આવવાની ચેતવણી આપી છે. તેને છેલ્લા એક દાયકામાં કોલંબિયામાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપ તરીકે વર્ણવવામાં આવ્યો છે.

વધુ વાંચો: મહારાષ્ટ્ર: સતારામાં ગમખ્વાર અકસ્માત, 4 લોકોનાં મોત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code