1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વારાણસી-જોનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત, 10 વ્યક્તિ ઘાયલ
વારાણસી-જોનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત, 10 વ્યક્તિ ઘાયલ

વારાણસી-જોનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત, 10 વ્યક્તિ ઘાયલ

0
Social Share

દિલ્હીઃ ઉત્તર ભારતના વારાણસી-જોનપુર હાઈવે પર સવારે ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે 10 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાહર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. પીકઅપવાનમાં સવાર લોકો એક મહિલાના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને પરત જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર વારાણસી-લખનૌ રાષ્ટ્રીય રાજમાર્ગ પર લહંગપુર ગામની પાસે વહેલી સવારે ટ્રક અને પિકઅપ વાનની અકસ્માત સર્જાયો હતો. જેથી વાનમાં બેઠેલા મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વાનમાં સવાર અમર બહાદુર યાદવ સહિત સાત વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. જ્યારે 10 વ્યક્તિઓને ઈજા થઈ હતી.

આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. સરાયખાજા વિસ્તારમાં જલાલપુર વિસ્તારમાં રહેતા ધનદેઈ દેવીનું નિધન થયું હતું. જેથી તેમના અંતિમ સંસ્કારમાં અમર યાદવ સહિતના લોકો ગયા હતા. અંતિમ સંસ્કારમાં હાજરી આપીને આ લોકો પરત ફરી રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં 7 વ્યક્તિઓના મોત થયા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code