1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ 21 માછીમારોનું કર્યું અપહરણ
ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ 21 માછીમારોનું કર્યું અપહરણ

ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ 21 માછીમારોનું કર્યું અપહરણ

0
Social Share

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરિયાઈ સીમામાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની ચાંચિયાગીરી વધી છે. તેમજ ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરીને લઈ જાય છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ 21 માછીમારોનું 3 બોટ સાથે અપહરણ કરતા માછીમારોમાં ભય ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય માછીમારો ભારતીય જળસીમામાં માછીમારી કરતા હતા ત્યારે માછીમારો કંઈ પણ સમજે તે પહેલા પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી ધસી આવી હતી. તેમજ સીમા નજીક માછીમારી કરતી 3 બોટ અને તેમાં સવાર 21 માછીમારોને બંદૂક બતાવીને તેમનું અપહરણ કર્યું હતું. અપહરણ થયેલી બોટોમાં બે પોરબંદરની બોટ અને એક બોટ વેરાવળની હોવાનું જાણવા મળે છે. બોટ અપહરણની આ વધુ એક ઘટનાને લઈને સૌરાષ્ટ્રના માચ્છીમાર સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

પાકિસ્તાન દ્વારા માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. હાલ પાકિસ્તાનની જેલોમાં અનેક ભારતીય માછીમારો બંધ છે. બીજી તરફ સરકારના પ્રયાસોથી પાકિસ્તાનની જેલોમાં બંધ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવે છે. પરંતુ તેમની બોટ મુક્ત કરવામાં નહીં આવતી હોવાથી માછીમારો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. હાલ પાકિસ્તાનમાં ભારતીય માછીમારોની 1100 જેટલી બોટ પડી હોવાનું જાણવા મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code