
પદ્મ ભૂષણથી સમ્માનિત પંડિત રાજન મિશ્રાનું 70 વર્ષની વયે કોરોનાથી નિધનઃ પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
- પદ્મ ભૂષણ પંડિત રાજન મિશ્રાનું 70 વર્ષની વયે નિધન
- કોરોનાએ લીધો જીવ
- દિલ્હીની હોસ્પિટલમાં હતા દાખલ
- તેમના નિધનને લઈને
- પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
દિલ્હીઃ- સંગીત ઘરાના સાથે ડોજાયેલા અને શાસ્ત્રીય સંગીતની દુનિયાનું મોટૂ નામ તથા પદ્મ ભૂષણ પંડિત રાજન મિશ્રાનું રવિવારે કોરોનાના કારણે 70 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે દિલ્હીની હોસ્પિટલમાં વિતેલા દિવસે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ પંડિત રાજન મિશ્રાને હાર્ટની તકલીફ થતાં દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ડોકટરોના અથાગ પ્રયત્નો બાદ પણ તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પદ્મ ભૂષણ પંડિત રાજન મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. એક ટ્વિટ કરીને તેમાં તેમણે કહ્યું હતું કે, “શાસ્ત્રીય ગાયકની દુનિયામાં પોતાની અદમ્ય છાપ છોડનારા પંડિત રાજન મિશ્રા જીના નિધનથી અંત્યત દુખ પહોચ્યું છે. બનારસ ઘરાના સાથે સંકાળેલા મિશ્રાજીનું ચાલ્યા જવું કલા અને સંગીત જગતને ન પૂરાય તેવી ખોટ છે. આ શોકની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવારનનો અને પ્રસંશકો સાથે છે. ઓમ શાંતિ”!
शास्त्रीय गायन की दुनिया में अपनी अमिट छाप छोड़ने वाले पंडित राजन मिश्र जी के निधन से अत्यंत दुख पहुंचा है। बनारस घराने से जुड़े मिश्र जी का जाना कला और संगीत जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) April 25, 2021
રાજન મિશ્રા ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક હતા. ભારત સરકાર દ્વારા તેમને વર્ષ 2007 માં કલા ક્ષેત્રે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તે બનારસ ઘરાના સાથે સંબંઘ ઘરવતા હતા. તેમણે વર્ષ 1978 માં શ્રીલંકામાં પ્રથમ કોન્સર્ટ આપ્યો હતો અને ત્યાર બાદ તેમણે જર્મની, ફ્રાંસ, સ્વિટ્ઝરલેન્ડ,ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુકે, નેધરલેન્ડ, સિંગાપોર, કતાર, બાંગ્લાદેશ સહિત વિશ્વના ઘણા દેશોમાં પર્ફોમન્સ આપ્યું હતું.
સાહિન-