1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં કોરોનાના વધુ 14,352 કેસ નોંધાયાઃ 170નાં મોત

ગુજરાતમાં કોરોનાના વધુ 14,352 કેસ નોંધાયાઃ 170નાં મોત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 14,352 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 170 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 7,803 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,90,229 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 170 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 26 લોકો અને સુરત શહેરમાં 23 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ  પણ ઘટ્યો છે.જે 74,37 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 5669  અને અમદાવાદ જિલ્લામાં 56,,  સુરત શહેરમાં 1858, અને જિલ્લામાં 411, વડોદરા શહેરમાં 402, અને જિલ્લામાં 229, રાજકોટ શહેરમાં 452, અને જિલ્લામાં 82,  જામનગર શહેરમાં 398, અને જિલ્લામાં 299,  ભાવનગર શહેરમાં 233, અને જિલ્લામાં 124, ગાંધીનગર શહેરમાં 165, અને જિલ્લામાં 160, પાટણમાં 210, મહેસાણામાં 469, દાહોદમાં 216,, પંચમહાલમાં 107, બનાસકાંઠામાં 224,  ભરુચમાં 175, ખેડામાં 157, મોરબીમાં 68,  કચ્છમાં 177, આણંદમાં 124, મહિસાગરમાં 166, નવસારીમાં 128,   સહિત કુલ 14,352  કેસ નોંધાયા છે. રાજયમાં આજે કુલ 66624  લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 3,90,229 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code