1. Home
  2. ગુજરાતી
  3. દિવાળી બાદ હવે દેશમાં લગ્નસરાની મોસમ જામશે, 3 લાખ કરોડનો થશે બિઝનેસ
દિવાળી બાદ હવે દેશમાં લગ્નસરાની મોસમ જામશે, 3 લાખ કરોડનો થશે બિઝનેસ

દિવાળી બાદ હવે દેશમાં લગ્નસરાની મોસમ જામશે, 3 લાખ કરોડનો થશે બિઝનેસ

0
Social Share
  • દિવાળી બાદ હવે દેશમાં જામશે લગ્નસરાની મોસમ
  • આગામી 3 માસમાં 3 લાખ કરોડનો થશે બિઝનેસ
  • કન્ફેડરશેન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સનો અંદાજ

નવી દિલ્હી: દેશમાં દિવાળીનું પર્વ પૂર્ણ થયા બાદ હવે લગ્નની સીઝન જામશે. કોરોના મહામારીનો પ્રકોપ ઓસરતા હવે દોઢ વર્ષ બાદ દેશમાં લગ્નની સીઝન પૂરજોશમાં ખીલી ઉઠશે. લગ્નસરાની સીઝનથી ભારતમાં ટેક્સટાઇલ, સોના-ચાંદી, કેટરિંગ સહિત ઘણા વેપાર-ધંધામાં પણ વેગ આવશે.

લગ્નસરાની સીઝનમાં દેશમાં ઉદ્યોગજગતને 3 લાખ કરોડ રૂપિયાનો વેપાર થશે તેવું કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા ધારણા મૂકવામાં આવી છે.

કેઇટે અગાઉ નોંધ્યું હતું કે, વર્તમાન વર્ષની દિવાળી પર્વ દરમિયાન 1.25 ટ્રિલિયનનો વેપાર થયો હતો. દિવાળીમાં પ્રોત્સાહક કામગીરી બાદ દિલ્હી સહિત દેશભરના વેપારીઓ આગામી લગ્નસરાની મોસમ માટે સજ્જ થઇ રહ્યાં છે.

કેઇટના દાવા અનુસાર દેશમાં 14મી નવેમ્બર એટલે કે દેવઉઠી એકાદશીથી 13 ડિસેમ્બર દરમિયાન દેશભરમાં અંદાજે 25 લાખ લગ્નો થવાના છે. તેના કારણે સમગ્ર દેશમાં 3 લાખ કરોડનો વેપાર થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

આ સમયમાં દિલ્હીમાં જ દોઢ લાખ લગ્ન લેવાય તેવી સંભાવના છે. જેને પરિણામે 50,000 કરોડનો વેપાર શક્ય બનશે એમ કેઇટે એક નિવેદનમાં જણાવ્યું છે. લગ્નસરાની સીઝનમાં ખાસ કરીને સોના, કેટરિંગ સેવા, ક્રોકરીસ, ટ્રાવેલ સેવા વગેરેની માંગ વધશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code