1. Home
  2. ગુજરાતી
  3. પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રીનો ચહેરો ચરણજીત સિંહ ચન્ની હોઈ શકે, નવજોત સિંહ સિદ્ધુનું પત્તુ કપાઈ શકે
પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રીનો ચહેરો ચરણજીત સિંહ ચન્ની હોઈ શકે, નવજોત સિંહ સિદ્ધુનું પત્તુ કપાઈ શકે

પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રીનો ચહેરો ચરણજીત સિંહ ચન્ની હોઈ શકે, નવજોત સિંહ સિદ્ધુનું પત્તુ કપાઈ શકે

0
Social Share
  • પંજાબમાં કોંગ્રેસ જાહેર કરી શકે છે સીએમનો ચહેરો
  • ચરનજીતસિંહ ચન્ની હોઈ શકે મુખ્યમંત્રી
  • નવજોત સિંહ સિદ્ધુનું પત્તુ કપાવાની સંભાવના

અમૃતસર: આગામી સમયમાં પંજાબમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા તો મુખ્યમંત્રીના ચહેરાને જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ ચૂંટણીમાં સંભવિત નુકાસાનથી બચવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નામની જાહેરાત 10 દિવસની અંદર કરી શકે છે. પોતાની વાતો અને વિવાદના કારણે નવજોત સિંહ સિદ્ધુનું પત્તુ કપાવાની સંભાવના છે.

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. સૂત્રોના જણાવ્યા મુજબ ચન્નીના 100 દિવસના કામને પાર્ટીએ આધાર બનાવ્યો છે. ચન્નીના કામથી કોંગ્રેસની સ્થિતિ સારી થઈ છે. કોંગ્રેસના ટોચના નેતાના જણાવ્યા મુજબ ચન્ની સારો વિકલ્પ હાલ કોંગ્રેસ પાસે નથી. ભારે ઉથલ-પાથલ વચ્ચે ચન્નીએ જે રીતે પંજાબમાં કોંગ્રેસને સંભાળી છે તેનાથી તેની ઈમેજ તો સારી થઈ છે સાથે કોંગ્રેસ પક્ષમાં માહોલ યથાવત છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના તત્કાલિન ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લી ઘડીએ કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. તે સમયે પણ નવજોત સિંહ સિદ્ધુ CMની રેસમાં આગળ હતા, પરંતુ તેમનું પત્તું કપાઈ ગયું હતું. ત્યારથી કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સિદ્ધુ કેપ્ટનને સીએમની ખુરશી પરથી હટાવવામાં સફળ રહ્યા હતા. સિદ્ધુના કારણે કેપ્ટનને પણ કોંગ્રેસ છોડવા મજબુર થયા હતા. તેમને એક અલગ પક્ષ બનાવીને ભાજપ સાથે ગઠબંધન કરવું પડ્યું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code