1. Home
  2. Tag "punjab"

પંજાબમાં મહિલાને માર મારીને અર્ધનગ્ન કરવાનો વીડિયો વાયરલ, 4ની ધરપકડ

તરન તારન: મહિલાને અર્ધનગ્ન કરીને વીડિયો બનાવીને વાયરલ કરવાના મામલે પંજાબના તરન તારનની પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે તરન તારનના કસ્બા વલ્તોહાની વતની એક મહિલાને તેના પાડોશમાં રહેતા પરિવારે પહેલા મારી હતી, બાદમાં તેના કપડાં ઉતાર્યા. આ અર્ધનગ્ન મહિલાનો વીડિયો બનાવીને તેને વાયરલ પણ કરવામાં આવ્યો હતો. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે […]

AAPને પંજાબમાં ભાજપે આપ્યો ડબલ આંચકો, સાંસદ સુશીલ કુમાર રિંકૂ અને એક ધારાસભ્યે કર્યા કેસરિયાં

ચંદીગઢ: ભાજપે પંજાબમાં આમ આદમી પાર્ટીને આકરો ઝાટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીના જાલંધરના સાંસદ સુશીલ રિંકૂ ભાજપમાં સામેલ થયા છે. તેમના સિવાય એક ધારાસભ્ય શીતલ અંગુરાલ પણ ભાજપમાં જોડાયા છે. આ બંને નેતાઓએ દિલ્હી ખાતે ભાજપના મુખ્યમથકમાં પાર્ટીની સદસ્યતા લીધી છે. બંનેને ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને પંજાબના પાર્ટી અધ્યક્ષ સુનીલ જાખડે પાર્ટીની સદસ્યતા […]

દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં EDના પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ ઈડીએ દિલ્હીની લીકર પોલીસી કોંભાડમાં તપાસને વધારે વેગવંતી બનાવી છે. દરમિયાન આજે ઈડી દ્વારા પંજાબ અને ચંદીગઢમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડીની કાર્યવાહીમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ઈડીની કાર્યવાહીને પગલે લીકર પોલીસીમાં સંડોવાયેલા લોકોમાં ફફટાડ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ આજે પંજાબ […]

રાહુલ ગાંધીના નિકટવર્તી રવનીત બિટ્ટૂ ભાજપમાં સામેલ, ચૂંટણી પહેલા કોંગ્રેસને પંજાબમાં મોટો આંચકો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પંજાબમાંથી કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે. લુધિયાણાથી કોંગ્રેસના સાંસદ રવનીત બિટ્ટૂ મંગળવારે ભાજપમાં સામેલ થઈ ગયા. તેમણે નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીની પ્રાથમિક સદસ્યતા લીધી. ચૂંટણીથી પહેલા રવનીત બિટ્ટૂના ભાજપમાં જવાને કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવે છે. રવનીત બિટ્ટૂ પંજાબ કોંગ્રેસના મોટા નેતા ગણાય […]

ભાજપનું મિશન 370: 100 સાંસદોને આંચકો, 90% ટિકિટ પહેલા જ વહેંચી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે અત્યાર સુધીમાં 402 ઉમેદવારો જાહેર કર્યા છે. શનિવાર સાંજે આવેલા લિસ્ટમાં ભાજપે 111 ઉમેદવારોની ઘોષણા કરી હતી. તે યાદીમાં એવી સીટો પર ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી હતી કે જેની લાંબા સમયથી ચર્ચાઓ હતી. તેના પર ભાજપ અત્યાર સુધીમાં એ 90 ટકા બેઠકો પર ઉમેદવારો ઉતારી ચુકી છે, જેમાં […]

પંજાબના સંગરુરમાં ઝેરી દારૂએ લીધો 21નો ભોગ, એક જ મકાનમાંથી મળ્યો 200 લિટર શરાબ

સંગરુર: પંજાબના સંગરુરમાં ઝેરી દારૂ પીવાથી થનારા મોતની સંખ્યા વધવાનું અનુમાન છે. સંગરુરના દિડબા અને સુનામમાં ઝેરી દારૂના કારણે 21 લોકોના જીવ ગયા છે. મહત્વપૂર્ણ છે કે સુનામમાં સાત લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમાથી 6ના મોત નીપજ્યા છે. સંગરુરના સીએમઓ પ્રમાણે, હોસ્પિટલમાં 40 લોકોને ભરતી કરવામાં આવ્યા હતા. તેમના દારૂમાં ઈથેનોલ હતો. […]

કેપ્ટન અમરિન્દરસિંહના પત્ની ભાજપમાં થશે સામેલ, પટિયાલાથી લડશે ચૂંટણી

ચંદીગઢ: ભાજપના નેતા અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહના પત્ની પરનીત કૌર ગુરુવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. તેમના પુત્રી જય ઈંદર કૌરે મંગળવારે આ વાતના સંકેત આપ્યા હતા. તેમને જ્યારે લોકસભા ચૂંટણી લડવાને લઈને સવાલ પુછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યુ કે હું નહીં, મારા માતા પરનીત કૌર પટિયાલા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. તેઓ […]

પંજાબઃ ટાર્ગેટ કિલીંગ માટે આવેલા બબ્બર ખાલસા જૂથના બે આતંકી ઝબ્બે

નવી દિલ્હીઃ દેશ વિરોધી પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન પંજાબના જલંધરમાં ટાર્ગેટ કિલીંગ કરવા માટે આવેલા બબ્બર ખાલસા જૂથના બે આતંકવાદીઓને કાઉન્ટર ઈન્ટેલિજેન્સએ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે બે પિસ્તલ, ચાર મેગેજીન અને કારતુસ જપ્ત કર્યાં હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર કાઉન્ટર ઈન્ટેલિજેન્સએ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન હાથ ધરીને […]

વિપક્ષી ગઠબંધનમાં નવા સમીકરણો: કૉંગ્રેસથી દૂર અને AAPની નજીક જઈ રહ્યા છે મમતા બેનર્જી?

નવી દિલ્હી: પંજાબમાં કિસાન આંદોલન વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. આને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. જણાવવામાં આવે છે કે ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 21 ફેબ્રુઆરીએ પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને […]

ભગવંત માન સરકાર સામે તણાવ વચ્ચે પંજાબના ગવર્નરે આપ્યું રાજીનામું

ચંદીગઢ: પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે રાજીનામું આપ્યું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામામાં તેમણે કહ્યુ છે કે કેટલાક અંગત કારણો અને પ્રતિબદ્ધતાઓને કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે. રાજ્યપાલે કહ્યુ છે કે હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક પદેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code