1. Home
  2. ગુજરાતી
  3. ઘરના આંગણમાં જો તુલસી વાવી છે તો તેને ચોક્કસ દિશામાં રાખવી જરુરી, તો જ લક્ષ્મી માતાની રહેશે કૃપા
ઘરના આંગણમાં જો તુલસી વાવી છે તો તેને ચોક્કસ દિશામાં રાખવી જરુરી, તો જ લક્ષ્મી માતાની રહેશે કૃપા

ઘરના આંગણમાં જો તુલસી વાવી છે તો તેને ચોક્કસ દિશામાં રાખવી જરુરી, તો જ લક્ષ્મી માતાની રહેશે કૃપા

0
Social Share
  •  તુલસીને ચોક્કસ દિશામાં રાખવી જરુરી,
  • સાચી દિશામાં રાખવાથી લક્ષ્મી માતાની રહેશે કૃપા

તુલસીના છોડને સનાતન ધર્મમાં દૈવી ગુણો હોવાનું કહેવાય છે. એક ધાર્મિક માન્યતા છે કે તેનો સંબંધ મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાથે છે. કહેવાય છે કે તુલસીનો છોડ લગાવવાથી ધનની સાથે-સાથે સૌભાગ્યમાં પણ વૃદ્ધિ થાય છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. પરંતુ જો તુલસી માટે વાસ્તુ ટિપ્સ અનુસાર તુલસીના છોડને યોગ્ય દિશામાં ન લગાવવામાં આવે તો આ છોડ સારા નસીબને દુર્ભાગ્યમાં બદલી શકે છે.

આ સાથે જ કહેવામાં આવે છે કે તુલસીનો છોડ ખોટી દિશામાં લગાવવાથી આપણા પર મુશેકલી આવે છે. તેથી તુલસીના છોડને રોપતી વખતે ખાસ કાળજી લેવામાં આવે છે. ચાલો જાણીએ વાસ્તુ અનુસાર તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો યોગ્ય છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો વાત કરીએ તો ઘર કે આંગણાની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ લગાવવો અયોગ્ય અને અશુભ માનવામાં આવે છે. વાસ્તવમાં આ દિશા પિતા સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં ક્યારેય પણ આ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જાય છે

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તુલસીનો છોડ પૂર્વ દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે. આ સિવાય તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવી શકાય છે. આ દિશામાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેની સાથે જ મા લક્ષ્મીની કૃપા પણ બની રહે છે.

તુલસીના છોડને રોપતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે છોડમાં બીજો કોઈ છોડ ન ઉગે. વાસ્તવમાં તુલસીની સાથે અન્ય નીંદણની વૃદ્ધિને અશુભ અને નુકસાનકારક માનવામાં આવે છે.

આ સાથે જ ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો ગૃહસ્થ જીવનમાં છે તેમણે દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ. કારણ કે કહેવાય છે કે જે લોકો દરરોજ તુલસીની પૂજા કરે છે, તેમનું ગૃહસ્થ જીવન સુખી રહે છે. ભગવાન વિષ્ણુ અને તેમના તમામ અવતારોને તુલસીના પાન અર્પણ કરી શકાય છે. પરંતુ ભગવાન શિવ અને ગણેશને તુલસીના પાન ચઢાવવામાં આવતા નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code