1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી એરપોર્ટની સ્થિતિને નિયંત્રણમાં લાવવા ગૃહમંત્રાલય દ્રારા ઊચ્ચ બેઠક બોલાવાઈ
દિલ્હી એરપોર્ટની સ્થિતિને નિયંત્રણમાં લાવવા ગૃહમંત્રાલય દ્રારા ઊચ્ચ બેઠક બોલાવાઈ

દિલ્હી એરપોર્ટની સ્થિતિને નિયંત્રણમાં લાવવા ગૃહમંત્રાલય દ્રારા ઊચ્ચ બેઠક બોલાવાઈ

0
Social Share
  • ક્રિસમસને લઈને દિલ્હી એરપોર્ટ પર ભીડની સ્થિતિ
  • એરપોર્ટની સ્થિતિને નિયંત્રણમાં લેવા ગૃહમંત્રાલયે બોલાવી બેઠક

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવલસથી રાજધાની દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોરપ્ટ પર ભારેભીડ જોવા મળી રહી છે, ખાસ કરીને ક્રિસમસ જેવો તહેવાર પાસે આવી રહ્યો છે જેને લઈને યાત્રીઓની સંખ્યા વધી છે, છેલ્લા ઘણા દિવસથી આ સ્થિતિને લઈને હોબાળો મચ્યો છએ ત્યારે હવે સ્થતિ નિયંત્રણમાં લાવવાના હેતુંથી ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૃહ મંત્રાલયે આ મામલે સંપૂર્ણ ગંભીરતા સાથે સમસ્યાનો ઉકેલ લાવવાની કવાયત શરૂ કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવ એકે ભલ્લાએ એરપોર્ટની ભીડને નિયંત્રિત કરવા અને સમસ્યાને કેવી રીતે દૂર કરવી તે અંગે ગૃહ મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે,

પ્રાપ્ત વિગત પ્રમાણે  છેલ્લા ઘણા દિવસોથી સર્જાયેલી યાત્રીઓની ભીડને પહોંચી વળવા અનેક પગલા લેવામાં આવ્યા હોવા છત્તા ભીડ નિયત્રણમાં આવી નથી અને તેના માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે આ અગાઉ  કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ એરપોર્ટના ટર્મિનલ-3નું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને અનેક આદેશો પણ આપ્યા હતા. આ પછી હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. 

આ મામ લે હવે ગૃહમંત્રાલય દ્રા ઉચ્ચ બેઠકનું આયોજન કરવામાંમ આવ્યું છે.કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ આજે ​​સવારે 11 વાગ્યે આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. જેમાં સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેવા પહોચ્યા હતા એ બેઠકમાં ભીડને કાબૂમાં કરવાના અનેક મહત્વના પગલા ભરવામાં આવશે.આ સ્થિતિ ત્યારે વધુ બગડી કે જ્યારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ફ્લાઇટના 3 થી 4 કલાક પહેલા મુસાફરો સુધી પહોંચવા માટે એડવાઈઝરી પણ જારી કરવામાં આવી હતી. જો કે આજે આ મિટિંગમાં અનેક પહલા લેવામાં આવી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code