1. Home
  2. ગુજરાતી
  3. રૂ. 2000ની નોટ જમા કરાવવાનો શનિવારે અંતિમ દિવસ, હજુ 12000 કરોડની નોટ જમા નથી થઈ
રૂ. 2000ની નોટ જમા કરાવવાનો શનિવારે અંતિમ દિવસ, હજુ 12000 કરોડની નોટ જમા નથી થઈ

રૂ. 2000ની નોટ જમા કરાવવાનો શનિવારે અંતિમ દિવસ, હજુ 12000 કરોડની નોટ જમા નથી થઈ

0
Social Share

નવી દિલ્હીઃ રૂ. બે હજારની ચલણી નોટ પરત ખેંચવાનો આરબીઆઈએ નિર્ણય કરીને 30મી સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવવા માટે પ્રજાને અપીલ કરાઈ હતી. જો કે, આ સમયમાં વધારો કરીને 7મી ઓક્ટોબર અંતિમ દિવસ જાહેર કરાયો હતો. બીજી તરફ અત્યાર સુધીમાં રૂ. 2 હજારની લગભગ 96 ટકા જેટલી નોટ બેંકિગ સિસ્ટમમાં પરત આવી છે. જ્યારે હજુ લગભગ 12 હજાર કરોડની નોટો માર્કેટમાં ઉપલબ્ધ છે. આમ લગભગ 3.37 ટકા જેટલી નોટો હજુ બજારમાં હાલ ચલણમાં છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે જૂની 2000 રૂપિયાની નોટો બદલવા અથવા બેંકોમાં જમા કરાવવા માટે માત્ર એક જ દિવસ બાકી છે. તેમણે કહ્યું, ‘અત્યાર સુધીમાં અમને લગભગ 3.32 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો પાછી મળી છે અને માત્ર 12000 કરોડ રૂપિયાની નોટો જ બાકી છે.

19 મે, 2023 ના રોજ, RBI દ્વારા 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે બજારમાં કુલ 3.44 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. સમયસર એક્સચેન્જ અને ડિપોઝિટની કવાયત પૂર્ણ કરવા અને લોકોને પૂરતો સમય આપવાના હેતુથી શરૂઆતમાં રૂ. 2000ની નોટો બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. દરમિયાન, લોકોને 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવા માટે છેલ્લી ઘડીની ઉતાવળ ટાળવા અપીલ કરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બરના રોજ, આરબીઆઈએ એક સમીક્ષાના આધારે, ડિપોઝિટ અને એક્સચેન્જ શાસનને 7 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો. રિઝર્વ બેંકે કહ્યું કે 8 ઓક્ટોબરથી બેંકો તેમના ખાતામાં 2000 રૂપિયાની નોટ સ્વીકારવાનું અને એક્સચેન્જ કરવાનું બંધ કરી દેશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code