1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉઠાળો, નવા 10 દર્દીના રિપોર્ટ આવ્યા પોઝિટિવ
અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉઠાળો, નવા 10 દર્દીના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉઠાળો, નવા 10 દર્દીના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

0
Social Share

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યની હેરિટેજ સિટી અમદાવાદ શહેરમાં આજે કોરોનાના નવા દસ કેસ નોંધાયાં હતા. આ પૈકી ચાર દર્દીઓની પ્રવાસ હિસ્ટ્રી સામે આવી છે. શહેરમાં આજે નવા દસ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 46 ઉપર પહોંચ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં કોરોના નવા કેસ નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, થલતેજ, નિકોલ, મણિનગર, ઈસનપુર અને સાબરમતીમાં નોંધાયાં હતા. આજે પાંચ મહિલા અને પાંચ પુરુષોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. નવા દસ દર્દીઓ પૈકી ચાર દર્દીઓની અમદાવાદ બહાર ગોવા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને રાજકોટ પ્રવાસની હિસ્ટ્રી સામે આવી છે. રાજ્યમાં હાલ એક્ટિવ 46 દર્દીઓ પૈકી એક દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જ્યારે 45 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. દસેય દર્દીઓના પરિવારજનોના પણ જરુરી રિપોર્ટ કરાવવામાં આવ્યાં છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં થઈ રહેલા ચિંતાજનક વધારાને પગલે મનપા તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં જરુરી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. મનપા દ્વારા શહેરીજનોને કોરોનાથી ડરવાને બદલે સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. દરમિયાન કેન્દ્ર સરકારે લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક અને સેનેટાઈટરનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(Photo-File)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code