
- બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી રણનીતિ રાજકીય નેતૃત્વનો સંકલ્પ : એર ચીફ માર્શલ
- પુલવામા પર આતંકી હુમલો સંરક્ષણ પ્રતિષ્ઠાનો માટેના ખતરાની યાદ અપાવે છે

વાયુસેના દિવસ પર ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકને યાદ કરી છે. એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યુ છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી રણનીતિ આતંકવાદીઓને સજા આપવાનો રાજકીય નેતૃત્વનો સંકલ્પ છે. આતંકવાદી હુમલાઓનો સામનો કરવાના સરકારના વલણમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે.
એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ આગળ કહ્યુ છે કે વર્તમાન પરિસ્થિતિમાં પાડોશથી સુરક્ષાનો માહોલ બેહદ ગંભીર સ્થિતિમાં છે. પુલવામા પર આતંકવાદી હુમલો આપણા સંરક્ષણ પ્રતિષ્ઠાનો માટે સતત ખતરાની યાદ અપાવે છે.
IAF Chief, Air Chief Marshal Rakesh Kumar Singh Bhadauria on #AirForceDay: Strategic relevance of this (Balakot airstrike) is the resolve of political leadership to punish perpetrators of terrorism. There is a major shift in govt’s way of handling terrorist attacks. pic.twitter.com/2FXDVWtiLf
— ANI (@ANI) October 8, 2019
IAF Chief, Air Chief Marshal Rakesh Kumar Singh Bhadauria: Present security environment in the neighbourhood is a serious cause of concern. The Pulwama attack is a stark reminder of the persistent threat to defence installations. https://t.co/WAisnlWUKt
— ANI (@ANI) October 8, 2019
આના પહેલા આજે મંગળવારે વાયુસેના દિવસના પ્રસંગે ત્રણેય સેનાધ્યક્ષોએ દિલ્હી ખાતેના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત, વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા, નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીરસિંહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
Delhi: Chiefs of three services, Army Chief Bipin Rawat, Indian Air Force Chief, RKS Bhadauria and Chief of the Naval Staff, Admiral Karambir Singh, pay tributes at National War Memorial on #IndianForceDay. pic.twitter.com/kFyKneKvfL
— ANI (@ANI) October 8, 2019
આ પહેલા વાયુસેનાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન તરફથી આતંકી હુમલો થાય છે, તો સરકારના આદેશ બાદ વાયુસેના કાર્યવાહી કરશે.
જ્યારે એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાને સવાલ કરવામાં આવ્યો કે શું ફરીથી બાલાકોટ એરસ્ટ્રાઈક થશે. જવાબમાં તેમણે કહ્યુ કે જો પાકિસ્તાન તરફથી આતંકી હુમલો થાય છે, તો સરકારના આદેશ બાદ અમે કાર્યવાહી કરીશું.