1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો  
બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો  

બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો  

0
Social Share
  • મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું થયું નિધન
  • ભારતમાં 11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શોક જાહેર
  • રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકાવવામાં આવશે

દિલ્હી:બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 11 સપ્ટેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય શોક મનાશે.આ દિવસે રાણી એલિઝાબેથના સન્માનમાં ભારતમાં રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવશે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તેમને આપણા સમયના દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે.તેમણે તેમના દેશ અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું.તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, “મહારાણી એલિઝાબેથ દ્વિતીયને આપણા સમયની પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે.તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી હતી.તેમના નિધનથી આઘાત લાગ્યો છે. દુઃખની આ ઘડીમાં મારી હૃદયપૂર્વકની સંવેદના તેમના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે.”

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code