કોરોના વેક્સિનનો ડોઝ 1 વ્યક્તિને આપતા લાગી શકે છે 30 મિનિટ જેટલો સમય – વેક્સિન આપવા માટેની ખાસ યોજના બનાવાશે
- કોરોના વેક્સિન એક બેચમાં 100-100 લોકોને આપવાની યોજના
- વેક્સિનનો ડોઝ આપતા વ્યક્તિ દિઠ 30 મિનિટનો સમય લાગી શકશે
દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, વિશ્વમાં કોરોડા લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, તો બીજી તરફ અંદાજે 2.30 લાખ લોકોએ કોરોનાના કારણે પોતાનાન જીવ ગુમાવ્યા છે, ત્યારે હવે દરેક લોકોની આશ માત્ર વેક્સિન છે, વિશઅવમાં જુદી જુદી વેક્સિન પર લોકો આશા સેવી રહ્યા છે.
કોરોના વેક્સિન આપવા માટે સરકાર ખાસ પ્રાકતરની યોજના બનાવી રહી છે, આ હેઠળ એક બેચમાં 100-100 વ્યક્તિને વેક્સિનનો ડોઝ આપવામાં આવી શકે છે. કહેવાય રહ્યું છે કે, માત્ર એક વ્યક્તિને આ વેક્સિનનો ડોઝ આપવામાં 30 મિનિટ અટલે કે અડધો કલાક જેટલો સમયનો ખર્ચ થશે, ઉલ્લેખનીય છે કે, ભારતમાં ફાઇઝર સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયા અને ભારત બાયોટેકે ઇમર્જન્સી ઉપયોગ માટે વેક્સિન આપવાની પરવાનગી માંગી છે.
સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઝેશન ઑફ ઇન્ડિયા આ અરજીઓ અંગે વિચારણા કરી રહી છે,પર વિચાર કરી રહી હતી. ત્યાર બાદ એજન્સી સેન્ટ્રલ ડ્રગ ઑથોરિટીને આ બાબત માટે ભલામણ કરવામાં આવશે, કઈ વેક્સિન ક્યારે આપવી તે બાબત પણ નક્કી કરાશે, મંજુરી મળ્યા બાદ રસીકરણનો મોટા પાયે આરંભ કરવામાં આવશે જે વિશ્વમાં અત્યાર સુધીની એક ઐતિહાસિક ક્ષણ હશે, કે એક સમયે લાખોની સંખ્યામાં લોકોને વેક્સિનનો ડોઝ અપાશે.
તમામ રાજ્યોમાં સૌ પ્રથમ હેલ્થકેર વર્કસને આ વેક્સિનનો ડોઝ આપવાની યોજના છે, આ સાથે જ 100 100 લોકોની બેચમાં વેક્સિન આપવાની યોજના બનાવવામાં આવી છે.ત્યારે હવે વેક્સિનને મંજુરી મળતાની સાથે કોરોનાનો અંત આવવાની આશા દરેક લોકો સેવી રહ્યા છે. દેશમાં કોરોના વેક્સિનનો ડોઝ આપવાની પ્રક્રિયા ઐતિહાસિક હશે.
સાહિન-