1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નો મુદ્દે ડાક અદાલત યોજાશે
અમદાવાદમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નો મુદ્દે ડાક અદાલત યોજાશે

અમદાવાદમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નો મુદ્દે ડાક અદાલત યોજાશે

0
Social Share

અમદાવાદઃ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં તા. 30મી ડિસેમ્બરના રોજ ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

જીપીઓની ટપાલ ખાતાને લગતી ફરિયાદો તા. 23મી ડિસેમ્બર સુધીમાં ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટરને મોકલી આપવાની રહેશે. તા. 23મી ડિસેમ્બર બાદ મોકલી ફરિયાદો વિચારણામાં લેવામાં નહીં આવે. તેમજ સામાન્ય પ્રકારની તેમ જ નીતિવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code