1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કડવી પણ ઔષધ – દર રોજ સવારે એક ચમચી પલાળેલી મેથીના દાણા ખાવાથી થાય છે અનેક ફાયદાઓ
કડવી પણ ઔષધ – દર રોજ સવારે એક ચમચી પલાળેલી મેથીના દાણા ખાવાથી થાય છે અનેક ફાયદાઓ

કડવી પણ ઔષધ – દર રોજ સવારે એક ચમચી પલાળેલી મેથીના દાણા ખાવાથી થાય છે અનેક ફાયદાઓ

0
Social Share

સાહિન મુલતાની-

  • મેથીના દાણાનું સેવન શરીરને તંદુરસ્ત બનાવે છે
  • મેથી ખાવાથી શરીરમાં વાયુનું પ્રમાણ નહીવત રહે છે
  • ગેસ, અપચો અને પેટના દુખાવા માટે મેથી રાહતનું કામ કરે છે
  • મેથીને પલાળીને રોજ તેનું સેવન કરવાથી અનેક રોગોમાંથી મૂક્તિ મળે છે
  • સુગરના દર્દીઓ માટે મેથી રામબાણ ઈલાજ છે

અનેક ઓષધી સમાન મરી મસાલા  આમ તો શિયાળામાં ફાયદા કારક હોય જ  છે પરંતુ તેમાં કેટલીક વસ્તુંઓ તો જીવન ભર તમને ફાયદો કરાવે છે અને તેમાંથી એક છે સુકી મેથીના દાણા, જી હા મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવાથી શરીરમાં રહેલી અનેક બીમારીઓ દુર થાય છે.

સામાન્ય રીતે આપણે દાળ, કઢી કે અનેક શાકના વધારવામાં સુકી મેથી નાખતા હોઈએ છે કારણ કે મેથીથી ગેસ થતો નથી , કેટલીક વાયુ કરતી વસ્તુઓને બનાવતા વખતે મેથીનો ખાસ ઉપયોગ થાય છે તેનું આ એક મોટુ કારણ છે કે મેથી થી શરીરમાં ગેસ થતો નથી, પેટમાં દુખાવો નથી થતો, આ સાથે જ કેટલાક ગુણો હોય છે મેથીમાં જે આજે આપણે જાણીશું.

મેથી ખાવાથી થતા ફાયદાઓ

  • મેથીમાં વિટામીન તથા ઘાત્વિક પદાર્થ અને પ્રોટીનની માત્રા ખુબ વધુ જોવા મળે છે, જો કે તેની કડવાશ દરેકને પસંદ નથી હોતી આ કડવાશ જમવાનો સ્વાદ જે રીતે વધારે છે, તેજ રીતે તેનું સેવન શરીરના ફાયદાને વધારે છે
  • મેથીમાં રહેલી કડવાશ તેમા રહેલા પદાર્થ ‘ગ્લાઈકોસાઈડ’ ને કારણે હોય છે. મેથીમાં ફોસ્ફેટ, લેસીથિન, વિટામીન ડી અને લોહ અયસ્ક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યને તદુંરસ્ત રાખે છે
  • મેથી ખાવાથી શારીર અંદરથી પણ તંદુરસ્ત રહે છએ અને બાહ્ય દેખાવમાં પણ ચમક અને સુંદરતા આપે છે
  • જો વાટેલા મેથીના દાણાને સ્કીન પર લગાવવામાં આવે તો ત્વચા સુંદર અને મુલાયમ બનાવે છે.
  • આ સાથે જ મેથીના દાણાને પલાળીને વાળમાં લગાવીને 2 કલાક પછી વાળ ધોવાથી વાળ મુલાયમ બને છે અને માથામાં ખોળ થતો અટકાવે છે,
  • આ સાથે જ મેથીના દાણાના પાવડરને વાગ્યા પર લગાવાથી પણ રાહત થાય છે
  • આ સાથે જ જ્યારે સ્ત્રી સુવાડી હોય છે ત્યારે તેના ખોરાકમાં મોટે ભાગે મેથીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી શરીરમાં ગરમાટો રહે છે અને બાળક પણ તંદુરસ્ત રહે છે
  • શિયાળામાં લોકો મેથીપાક બનાવીને પણ ખાતા હોય છે જેથી શરીરમાં તંદુરસ્તી અને તાજગી રહે છે
  • મેથીમાં પાચક એંજાઈમ છે, જે અગ્નાશયને વધુ ક્રિયાશીલ બનાવી દે છે. જેના કારણે પાચન ક્રિયા પણ સરળ અને સારી છે.
  • મેથી ગેસ્ટ્રિક અલ્સરના ઈલાજમાં પણ ઉપયોગી છે.
  • મેથીના સ્ટેરોએડયુક્ત સૈપોનિન અને લસદાર રેશા રક્તમાં શર્કરાને ઓછી કરી નાખે છે. તેથી મેથીનુ સેવન ડાયાબીટિશના રોગીઓ માટે ખાસ ફાયદાકારક છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code