1. Home
  2. ગુજરાતી
  3. સરકારની અનોખી સિદ્ધિ, 30 કરોડથી વધારે આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્ર બનાવાયા
સરકારની અનોખી સિદ્ધિ, 30 કરોડથી વધારે આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્ર બનાવાયા

સરકારની અનોખી સિદ્ધિ, 30 કરોડથી વધારે આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્ર બનાવાયા

0
Social Share

નવી દિલ્હીઃ ભારતે 30 કરોડથી વધારે આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્ર – આભા કાર્ડ બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણમંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આવી માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આયુષ્યમાન ભારત ડિજીટલ મિશન, ટેકનોલોજીના ઉપયોગથી દેશના નાગરિકોના જીવન સરળ બનાવી રહ્યું છે. આયુષ્માન ભારત આરોગ્ય એકાઉન્ટ દ્વારા ભારતીય નાગરિક ડિજીટલ પદ્ધતિથી પોતાનો આરોગ્ય રેકોર્ડ તપાસી શકશે અને તેનું વ્યવસ્થાપન કરી શકશે. તેમજ નાગરિકોને દેશભરની હોસ્પિટલોમાં પોતાના આરોગ્ય અંગેના રેકોર્ડની જાળવણીમાં મદદ કરશે, તેનાથી તેમની સારવાર સરળતાથી થઇ શકશે.

દેશના ગરીબોને યોગ્ય સારવાર મળી રહે તેવા કેન્દ્રની મોદી સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનો સરળતાથી યોગ્ય કિંમતમાં દવાઓ મળી રહે તે માટે જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં જેનરિક દવાઓના સ્ટોલ ખોલવામાં આવ્યાં છે. આ ઉપરાંત આયુષ્યમાન ભારત આરોગ્ય ઓળખપત્રથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મફતમાં સારી સારવાર મેળવી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code