Site icon Revoi.in

પુરીમાં ભગવાન જગન્નાથજીના અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને પરિવારે દર્શન કર્યાં, મહાપ્રસાદમાં સેવા આપી

Social Share

પુરીઃ ઓડિશાના પુરી ખાતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની પ્રીતિબેન અદાણી તથા પુત્ર કરણ અદાણી પહોંચ્યાં હતા. તેમજ ભગવાન જગન્નાથજીની પુજા કરી હતી. તેમજ ભગવાનના રથને પ્રણામ કરીને તથા રથને ટચ કરીને ભગવાનના આર્શિવાદ લીધા હતા. જે બાદ તેમણે ઈસ્કોનના રસોડામાં જઈને મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો હતો. અદાણી ગ્રુપના ચેરમેનની ઈશ્વરમાં આસ્થાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, ભારે વરસાદ વચ્ચે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા પહોંચ્યાં હતા.

ભગવાન જગન્નાથજીના દર્શન બાદ ગૌતમ અદાણી, પ્રીતિબેન અદાણીએ ઈસ્કોરના કિચન પહોચ્યાં હતા અને શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ બનાવ્યો હતો. આ રસોડામાં લગભગ 40 લાખ શ્રદ્ધાળુઓ માટે ભોજન બનાવાય છે ગૌતમ અદાણીએ શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. ઈસ્કોનના કિચનમાં પહોંચીને ગૌતમ અદાણી અને તેમના પત્ની પ્રીતિબેન અદાણીએ મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો હતો.

તેમણે ભોજન માટે પુરીઓ બનાવી હતી. તેમજ અન્ય શ્રદ્ધાળુઓની જેમ જ જમીન ઉપર બેઠીને પ્રસાદગ્રહણ કર્યો હતો. તેમજ તેમણે સમગ્ર કિચનનું નિરીક્ષણ કર્યું હતું. ઈસ્કોનના કિચન પંડાલમાં ગૌતમ અદાણીએ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની પ્રતિમાના દર્શન કરીને તેમના આર્શિવાદ લીધા હતા. તેમજ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની આરતી ઉતારી હતી.

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, આ એક આધ્યાત્મિક ક્ષણ નહીં, આ એક એવુ ક્ષણ છે જ્યારે અહંકારની જગ્યાએ નમ્રતાનો ભાવ મળી રહ્યો છે. પ્રભુના ચરણોમાં આવવાનું સૌભાગ્ય મળ્યું, ભગવાન જગન્નાથજીની કૃપાથી મે બધુ હાંસિલ કર્યું છે મારી પાસે કંઈ જ ન હતું. ભગવાનની કૃપા અને લોકોના આશીર્વાદથી મારી પાસે ઘણુ બધું છે. મે ભારત અને ઓડિશાના ઉત્થાન માટે ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી છે.

મહાકુંભમાં અમે પહેલીવાર સેવામાં સાધનનો એક પ્રયાસ કર્યો હતો. અમારા સહકર્મચારી અને પાંચ હજારથી વધારે લોકોએ તેમાં ભાગ લીધો હતો. આ સેવા માધ્યમથી અને જોયુ કે જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. આ જગન્નાથ પુરીની આ ભવ્ય યાત્રામાં વધારે આગળ કેવી રીતે વધી શકીએ તેનો સંકલ્પ લીધો છે.